Aptavani Establishes And Perpetuates New Era Of Of Self Knowledge
આપણી \'આપ્તવાણી\' માત્ર એક જો જીવતી રહેશે ને, તો હિન્દુસ્તાનમાંથી જ્ઞાન નહીં જાય. એ તો જ્ઞાનબીજ છે. આમાં પૂર્ણ ધર્મ આવી જાય છે ને સમજવો સરળ છે. પેલાં શાસ્ત્રો કરતાંય વધુ વિગતવાર. એમાં અંગ્રેજી શબ્દો શા માટે મૂક્યા છે કે અત્યારના જુવાનીયાઓને કામ લાગે. આમને શાસ્ત્રોનું કોઈ સાધન જ પછી જરૂર નથી રહેતું. એટલે આપ્તવાણીથી હિન્દુસ્તાનમાં જ્ઞાનબીજ રહેશે. નહીં તો હિન્દુસ્તાનમાં જ્ઞાનબીજ ફ્રેક્ચર થઈ ગયા છે. જેમ જેમ આપ્તવાણી હિન્દુસ્તાનના લોકોને પહોંચશે અને જ્યારે લોકોને આ જ્ઞાન ઊગશે, ત્યારે હિન્દુસ્તાનની જાહોજલાલી ઓર જ હશે !