1. શુક્રવાર ગણદેવી } આહવા-ડાંગબીલીમોરા } ચીખલી } વાંસદા
ઉનાઈ મકરસંક્રાંતિના મેળામાં ટ્રાફિક-
પાર્કિગની સમસ્યા ...12
બીલીમોરામાં પતંગના દોરાથી
ઈજાગ્રસ્ત બે હોસ્પિટલમાં ...12
સુરત|16જાન્યુઆરી,2015
ખેરગામ તાલુકાના વાડ ગામે
ભરાતાહાટબજારમાંમારામારીભાસ્કરન્યૂઝ.ખેરગામ
ખેરગામ તાલુકાના વાડ ગામે ખાડી
નજીક દર અઠવાડિયે ભરાતા હાટ
બજારમાં જૂની અદાવત બાબત બે
જૂથો વચ્ચે મારામારી થતા મામલો
ખેરગામ પોલીસ મથક સુધી પહોંચી
ગયો હતો. જેમાં વાડ ગામના ત્રણ
અને ખેરગામના ત્રણ ઈસમો વિરૂદ્ધ
પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.
વાડ પટેલ ફળિયામાં રહેતા
કનુભાઈ પટેલના ઘર નજીક થોડા
જ દિવસો પૂર્વે અકસ્માત સર્જાયો
હતો. જેમાં કનુભાઈએ વચ્ચે પડી
બંને પાર્ટી વચ્ચે સમાધાન કરાવ્યું
હતું. આ બાબતની અદાવતમાં ગત
11 જાન્યુઆરીએે વાડ ખાડી ખાતે
ભરાતા હાટ બજારમાં કનુભાઈ તથા
સામી પાર્ટીના લોકો સામસામે આવી
ગયા હતા. તે દરમિયાન સાંજે પટેલ
ફળિયામાં રહેતા રજનીકાંત પટેલે
કનુભાઈને હાટવાડામાં ઉભા રાખી
અપશબ્દો કહી માર માર્યો હતો. આ
દરમિયાન રજનીકાંતના બે મિત્રોએ
તેને પકડી રાખી ઢીકમુક્કીનો માર
મારતા હતા, જેથી ઝપાઝપી થતા
હાટ બજારમાં આવેલા ભજીયાની
દુકાનમાં ચુલા પર મુકેલ કડાઈના
ગરમ તેલમાં કનુભાઈ પડી જતા
હાથમાં દાઝી જતા તેમણે બૂમાબૂમ
કરી હતી ત્યારબાદ પાછળથી અન્ય
ત્રણ ઈસમોએ આવી તેમને માર
મારતા ત્યાં બજારમાં ઉપસ્થિત
લોકો તથા કનુભાઈના સંબંધીઓ
ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે
કનુભાઈ પટેલે ઘટનાની ફરિયાદ
બુધવાર પોલીસમાં નોંધાવી હતી.
નવસારી | ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે
આજે તા.16 જાન્યુઆરી 15 રોજ સવારે 9 થી 1
વાગ્યા દરમિયાન વિકલાંગ ભાઇ-બહેનો માટે
વિકલાંગ પ્રમાણપત્ર મેળવવા શિબિરનું આયોજન
કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફસ, રેશનકાર્ડ અસલ અને ઝેરોક્ષ નકલ
સાથે હાજર રહેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
દ્વારા જણાવાયું છે.
વિકલાંગઓળખકાર્ડશિબિર
ખારેલ | ગણદેવી તાલુકાના એંધલ વાંઝરી ફળિયામા
આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં
અનિયમિત રહેતી શિક્ષિકા બાબતે વાંઝરી ફળિયાના
વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને
લેખિત રજૂઆત કરી શિક્ષિકા ઉપર આક્ષેપો કરતા
શિક્ષણજગતમાં ચર્ચા જગાવી છે. જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારીને આપેલ ફરિયાદમાં વાંઝરી
ફળિયાના વાલીઓએ જણાવ્યું હતું કે શાળાની
ઉપશિક્ષિકાબેન શાળાની વધ છે છતાં તેમની બદલી
હજી સુધી થઈ નથી. વળી શિક્ષિકાબેન શાળામાં
અનિયમિત આવે છે. બીજા પણ આક્ષેપો કરાયા હતા.
શિક્ષિકાવિરૂદ્ધરજૂઆત
નવસારી | ભારત સરકારના જળ સંશાધન, નદી
વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય પ્રેરિત અને
ગુજરાત સરકારના જળસંપત્તિ, પાણી પુરવઠો અને
કલ્પસર વિભાગના ઉપક્રમે સાતત્યપુર્ણ વિકાસ
અર્થે જળસંચય સેમિનારનું આયોજન આજે તા.16
જાન્યુઆરી 15 ના રોજ તોરણવેરામાં કરવામાં આવ્યું
છે. તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સવારે 9-00
વાગે યોજાનારા સેમિનારમાં જિલ્લા પંચાયત પ્રમુખ
સુરેન્દ્રભાઇ પટેલ, કલેકટર રેમ્યા મોહન, ઇ.ચા.
જિલ્લા વિકાસ અધિકારી એસ.એલ.નિનામા ખાસ
ઉપસ્થિત રહેશે.
તોરણવેરામાંજળસંચયસેમિનાર
બીલીમોરા | ઉંડાચ લુહાર ફળિયામાં રહેતા શાંતિલાલ
ગોવિંદભાઈ માહ્યાવંશી (ઉ.વ.80) બપોરના સમયે
વાડીમાં પાણી વાળવા ગયા હતા. જે સાંજ સુધીમાં
ઘરે નહીં આવતા કુટુંબીજનોએ વાડીમાં તપાસ કરતા
ત્યાં મૃત હાલતમાં પડેલા હતા. જેમને ડોકટર પાસે
લઈ જતાં તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું
હોવાનું જણાવ્યું હતું. ઉંડાચના નરેન્દ્ર શાંતિલાલે
બીલીમોરા પોલીસને જાણ કરતા બનાવની તપાસ
હે.કો. રવિભાઈ કરી રહ્યા છે.
વાડીએગયેલાવૃદ્ધનુંમોત
બીલીમોરા | બીલીમોરા-ગણદેવી રોડ ઉપર ગુજરાત
હાઉસિંગ બોર્ડમાં રહેતા નરેશ છોટુભાઈ પટેલને
સાંજના સમયે એસ.ટી. બસ નં.જીજે-18-6634 ટક્કર
મારી ડ્રાયવર બસ લઈ નાસી ગયો હતો. બસની
ટક્કરથી નરેશને વધતીઓછી ઈજા થઈ છે. નરેશના
ભત્રીજા શ્વેતલ ડાહ્યાભાઈ પટેલે બીલીમોરા પોલીસને
જાણ કરી છે.
બસઅડફેટેએકનેઈજા
36000નોદારૂપકડાયો
નવસારી| એલસીબીના પો.કો. સુનિલસિંહને બાતમી
મળી હતી જેના આધારે પીઆઈ એન.પી.ગોહિલ તથા
તેમની ટીમે બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.
એ દરમિયાન બાતમીવાળી એસેન્ટ કાર નં.જીજે-18-
એએ-4435 આવી પહોંચતા પોલીસે તેને અટકાવી તેમાં
તપાસ હાથ ધરી હતી. કારમાંથી પોલીસને રૂ.36000ની
કિંમતનો ઈંગ્લીશ દારૂનો 720 બોટલનો જથ્થો મળી
આવ્યો હતો. જેથી કાર ડ્રાયવર ગૌરવ પરમાર તથા
અનિલ યાદવની ધરપકડ કરી હતી. ઉપરાંત દમણથી
દારૂ ભરાવનાર તેમજ મગાવનારને વોન્ટેડ જાહેર કરી
પોલીસે રૂ.36000ના દારૂ તથા કારની કિંમત રૂ.50
હજાર, રૂ.1000ના બે મોબાઈલ મળી કુલ રૂ.87000નો
મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
ભાસ્કરન્યૂઝ.નવસારી
ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીએ
નવસારી કૃષિ યુનિવર્સિટીના દસમાં
પદવીદાન સમારોહમાં કૃષિ ક્ષેત્રના વિકાસ
માટે ચુનોતીઓની સામનો કરી, યુવાપેઢી
નેતૃત્વ સ્વીકારે તેવો પ્રતિભાવ આપ્યો હતો.
ઓડિટોરિયમ ખાતે કૃષિ યુનિવર્સિટીના
પદવીદાન સમારોહમાં પદવી તેમજ મેડલ
મેળવનારા વિધાર્થીઓને શુભકામના
પાઠવી, રાજ્યપાલે જણાવ્યું હતું કે,
વિધાર્થીઓ સાનુકૂળ વાતાવરણમાંથી હવે
ચુનૌતીભર્યા વાતાવરણમાં જશે, ત્યારે
તેમના સામે પડકારોનો સામનો કરીને,
વિશ્વસમાજને જવાબદારી સાથે સમાજને શું
જોઇએ છે, શું અપેક્ષાઓ છે, જેને જાણી,
સમજીને યોગ્ય માર્ગ શોધીને જનસમાજની
અપેક્ષાઓ સંતોષવાની ભૂમિકા અદા
કરવાની છે. . ઉત્પાદકતા અને ઉપજની
ગુણવત્તા કૃષિ ટેકનોલોજીના સહારે કેવી રીતે
વધે તેવા સામર્થ્ય સાથે ખેડૂતોના ખેતર સુધી
ટેકનોલોજી વિકસાવાની જવાબદારી આવા
પદવી હાંસલ કરનારાઓએ નિભાવવાની
છે. ઉત્પાદિત માલના વેલ્યુ એડીશન દ્વારા
ખેડૂતોને વધુ આવક મળે તે તરફ ધ્યાન
કેન્દ્રીત કરવાનું છે. રાજ્યપાલે જણાવ્યું કે,
ખેડૂતોને પોતાની પેદાશનું લાભકારક મૂલ્ય
મળે એ જરૂરી છે.
પદવીદાન સમારંભમાં રાજયપાલના
હસ્તે સ્નાતક કક્ષાના 185, અનુસ્નાતક
કક્ષાના 157 અને પીએચડીના-36 મળી કુલ
378 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં
આવી હતી. 29 સુવર્ણપદકો પૈકી આઠ
વિધાર્થીઓ અને 11-11 વિધાર્થિનીઓને 18
મેડલો અપાશે. ઉપરાંત બેસ્ટ ટીચર એવોર્ડ
પણ એનાયત કરાયો હતો.
રાજ્યપાલે કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર
કરાયેલી સુવિધાસજ્જ 68-68 રૂમો ધરાવતી
બે છાત્રાલયનું પણ લોકાર્પણ કર્યું હતું.
કૃષિમંત્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું
હતું કે, આજના આધુનિક યુગમાં ખેડૂતોનું
ખુબ જ મહત્વ છે. રાષ્ટ્ર-રાજયને સમૃદ્ધ
કરવા ગામડું સમૃદ્ધ હોવું જરૂરી છે. ખેડૂત
સમૃદ્ધ બનશે, તો જ ગામડું સમૃદ્ધ બનશે.
રાજયના વિકાસની સાયકલમાં કૃષિનો ફાળો
મહત્વનો છે.
નવસારીકૃષિયુનિ.નોપદવીદાનસમારોહયોજાયો
કુલ378વિધાર્થીઓનેપદવીએનાયત,બેછાત્રાલયનુંલોકાર્પણ
ખેડૂતોને પેદાશના લાભકારક
મૂલ્યમળવાજરૂરી:રાજ્યપાલ
નવસારી કૃષિ
યુનિવર્સિટીના
દસમાં પદવીદાન
સમારોહમાં ઉપસ્થિત
વિદ્યાર્થીઓ તથા
વિદ્યાર્થીઓને મેડલ
અર્પણ કરતા
રાજ્યપાલ ઓ.પી.
કોહલી
તાપમાન10.2ડીગ્રી
નવસારી: આજે ગુરૂવારે નવસારીમાં
તાપમાન સવારે થોડું વધી 10.2
ડિગ્રી થયું હતું. આજે બપોરે મહત્તમ
તાપમાન 30 ડિગ્રી થયું હતું.
દિવ્ય ભાસ્કરમોબાઈલએપ
ડાઉનલોડકરોઅનેજીતોઈનામ
(તા.13નાવિજેતાઓ)
ડાભીબિપિનચંદુભાઈ સુરેન્દ્રનગર
રાઠોડભરતમનસુખભાઈ બોટાદ
જાદવવિનોદપ્રભુભાઈ લીંબડી
ખાચરદિલીપબહાદુરભાઈ ભાવનગર
િનમાવતજયદીપપ્રવીણભાઈ જૂનાગઢ
અપારનાથીઅલ્પેશમુકેશગીરીવેરાવળ
પરમારહરસુખભાઈજાદવભાઈ તલાલા
આગામી દિવસોના વિજેતાઓ
માટે જોતા રહો આ જગ્યા
ક્રુરતા|લગ્નભંગાણબાદયુવકેબીજાલગ્નકરતાબેસંતાનથતાપૂર્વપત્નીઆવીઝઘડોકરતીહતી
બાળકીનાપિતાનીપૂર્વપત્નીએસંતાનનમળતાટ્યૂબલાઇટનાકાચથીહત્યાકરી,આરોપીનીધરપકડ
ભાસ્કરન્યૂઝ.નવસારી
નવસારીને અડીને આવેલા કબીલપોરના
જામપીર મહોલ્લામાં મહિલાએ જૂની
અદાવતમાં માસૂમ બાળાનો ભોગ લઈ
લીધો હતો.13 જાન્યુઅારીના રોજ
સાંજે પાંચ વર્ષની બાળાને કાચ મારી
પિતાની પૂર્વ પત્ની ભાગી ગઇ હતી.
ત્યારબાદ સુરત સિવિલમાંં બાળકીનું 14
જાન્યુઆરીના રોજ બપોરે મોત થયું હતુ.
નવસારી ગ્રામ્ય પોલીસે આ પ્રકરણમાં
હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવસારીને અડીને આવેલા
કબીલપોર ગામે જામપીર મહોલ્લામાં
રહેતા ધર્મેશભાઈ સલાટના લગ્ન
જામપીર દરગાહ પાસે જ રહેતી
જ્યોત્સનાબેન સાથે થયા હતા. તેમના
લગ્નગાળા દરમિયાન સંતાન પ્રાપ્તિ
નહીં થતાં બંને વચ્ચે વિખવાદ શરૂ થઈ
ગયો હતો. અવારનવાર થતાં ઝઘડાને
કારણે તેમના વચ્ચેનું અંતર પણ વધતું
ગયું હતું. જેના કારણે આખરે તેઓ
બંનેનું લગ્નભંગાણ થયું હતું. બંને
વચ્ચે છૂટાછેડા થઈ જતા તેઓ પોતાની
જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા હતા. એ
દરમિયાન એમના વિસ્તારમાં જ રહેતા
અર્જુનભાઈ ભરવાભાઈ સલાટની બહેન
ગીતાબેન સાથે ધર્મેશભાઈ સલાટે લગ્ન
કરી લીધા હતા. તેમના લગ્ન જીવન થકી
તેમને બે સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું.
આ બાબતની જાણ થતાં જ પૂર્વ પત્ની
જ્યોત્સનાબેન પૂર્વ પતિ પાસે સંતાનની
માગણી કરતી રહી હતી.
જોકે પોતાના સંતાનને
જ્યોત્સનાબેનને નહીં આપવાનો નિર્ણય
ધર્મેશ તથા તેની પત્નીએ કર્યો હતો.
ઉપરાંત સંતાનોને તેનાથી દૂર રાખવાનો
પ્રયાસ પણ કરતા હતા. પરંતુ નજીકમાં
જ રહેતા હોવાથી જ્યોત્સનાબેન
અવારનવાર પૂર્વ પતિના ઘરે પહોંચી
જતી હતી. જેના કારણે તેમની વચ્ચે
અવારનવાર ઝઘડો પણ થયો હતો. તેની
અદાવત રાખી પૂર્વ પતિના બે સંતાન
પૈકી 5 વર્ષીય સંજનાને જ્યોત્સના
બહેલાવી ફોસલાવી ઘરેથી લઈ ગઈ હતી
અને તેમના ઘરથી થોડે જ દૂર આવેલા
વાડામાં લઈ જઈ ટ્યૂબલાઈટના તીક્ષ્ણ
કાચથી સાધનાના પેટ ઉપર હુમલો કરી
દીધો હતો. જેને પગલે સાધનાને ગંભીર
ઈજાઓ પહોંચી હતી. તેને ગંભીર
ઈજા પહોંચાડી જ્યોત્સના વાડામાં જ
લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી
છૂટી હતી. મોડીસાંજ સુધી છોકરી ઘરે
નહીં પહોંચતા તેના પરિવારજનોએ
શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન
ઘર નજીક વાડામાંથી છોકરી લોહીલુહાણ
હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક
સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ
સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં
લઇ જવાઇ હતી. જેનું સારવાર
દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના
અંગે સંજનાના મામા અર્જુનભાઈ સલાટે
ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કબીલપોરમાં5વર્ષીયબાળકીનીહત્યા
ઘટનાસ્થળેથીટ્યૂબલાઈટનોટુકડોમળ્યો
નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ ડી.એસ.સોનીએ જણાવ્યું હતું કે
બાળકી ઉપર જીવલેણ હુમલો કર્યા પછી ભાગી ગયેલી આરોપીને તેના ઘરેથી
પોલીસે તાત્કાલિક ઝડપી લીધી હતી. પોલીસને ઘટનાસ્થળેથી જેનાથી બાળકની
હત્યા કરાઈ હતી તે ટ્યૂબલાઈટની સળીનો ટૂકડો મળી આવ્યો હતો. જેનો પોલીસે
કબજો લીધો હતો. આરોપીને પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધી હતી.
પોલીસે ઝડપી પાડેલ મહિલા આરોપી, મૃતક બાળકીની ફાઈલ
તસવીર અને હત્યાનું સ્થળ
શૌચક્રિયાને
બહાને હત્યાકરી
ધર્મેશ સાથે અગાઉ લગ્ન
કરનાર જ્યોત્સના સાથે
છૂટાછેડા થયા પછી જ્યોત્સના
પણ અન્ય સાથે રહેતી હતી
અને હાલ એકલી જ હતી.
જોકે એક જ વિસ્તારમાં રહેતા
હોવાથી ધર્મેશના પરિવારજનો
સામે આવી જતી હતી. છૂટાછેડા
પછી ધર્મેશના લગ્નજીવનમાં
સંતાનસુખ પ્રાપ્ત થયું હતું. આથી
છૂટાછેડાનો બદલો લેવા તેણે
પાંચ વર્ષની સંજનાને ટાર્ગેટ
બનાવી 13મી જાન્યુઆરી 2015ના
રોજ સાંજે 6.00 કલાકની
આસપાસ શૌચક્રિયા માટે લઈ
જવાને બહાને હત્યા કરી હતી.
મૃતક બાળકીની ફાઈલ તસવીર
બીલીમોરાનાપ્રેમીપંખીડાદમણથી
મળ્યાબાદકોર્ટમાંહાજરકરાયા
યુવાનગુનામાંજેલમાં,યુવતીનારીસંરક્ષણગૃહમાં
ભાસ્કરન્યૂઝ.બીલીમોરા
બીલીમોરાના શીખ સમાજની
યુવતી અને હિસ્ટ્રીશીટર મુસ્લિમ
યુવકે ભગાડી જઈ લગ્ન કરી લેતા
સમગ્ર શીખ સમાજ અને હિન્દુ
સંગઠનોમાં ભારે રોષની લાગણી
વ્યાપી ગઈ હતી. યુવતીના
પિતાએ કોર્ટમાં 16મી જાન્યુઆરી
સુધી યુવતીને હાજર કરવાની દાદ
માગતા કોર્ટે બીલીમોરા પોલીસને
યુવતીને હાજર કરવાનો હુકમ
કરતા પોલીસ દમણમાંથી યુવક-
યુવતીને પકડી લાવી કોર્ટમાં
હાજર કરતા યુવતીને નારી
સંરક્ષણ ગૃહમાં મોકલી આપી તથા
યુવકને અગાઉના ગુનામાં હાજર
કરતા તેને નવસારી સબજેલમાં
મોકલવાનો હુકમ કર્યો છે.
બીલીમોરામાં શીખ સમાજની
યુવતી પૂજા કૌરને તીસરી
ગલીમાં રહેતા અને ઘણાં ગુનામાં
સંડોવાયેલ અમીન શેખ લગ્ન
કરી લેતા સમગ્ર શીખ સમાજમાં
ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
દરમિયાન પૂજા કૌરના પિતાએ
ગણદેવી કોર્ટમાં દાદ માંગી 16મી
જાન્યુઆરીના રોજ યુવતીને
હાજર કરવાની
માંગણી કરી
હતી. જે અંગે
કોર્ટે બીલીમોરા
પોલીસને હુકમ
કરી બંનેને શોધી
કાઢવા જણાવ્યું
હતું. પોલીસે
બંનેની તપાસ શરૂ કરી દીધી
હતી. બીલીમોરા પીએસઆઈ
વી.કે. ગઢવીને બાતમી મળી
હતી કે બીલીમોરાનો અમીન
અનવર શેખ અને શીખ યુવતી
પૂજા કૌર દમણમાં એસટી ડેપો
નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં
પાંચમે માળે રહે છે. જેના આધારે
પીએસઆઈ વી.કે. ગઢવી ટીમ
સાથે દમણ પોલીસના સહકારથી
છાપો મારી બંનેને પકડી લાવ્યા
હતા. બીલીમોરા પોલીસે બંનેને
લાવી નિવેદનો લીધા હતા. જેમાં
બંનેએ પોતાની મરજીથી સિવિલ
મેરેજ કર્યા હોવાનું બહાર આવ્યું
હતું. શીખ યુવતી પૂજા કૌરે
પોતાના માતાપિતા સાથે જવાની
ના પાડી દીધી હતી. બીજી બાજુ
અમીન શેખને પોલીસે ગણદેવી
કોર્ટમાં રજૂ કર્યો હતો. અમીન
શેખે ભૂતકાળમાં એક મારામારીના
ગુનામાં કોર્ટે આપેલા જામીનની
શરતોનો ભંગ કરવા અંગેના
પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.
ગણદેવી કોર્ટે અમીન શેખને
નવસારી સબજેલમાં મોકલવાનો
હુકમ કર્યો હતો. જ્યારે શીખ
યુવતી પૂજા કૌરને ચીખલી નારી
સંરક્ષણ ગૃહમાં મોકલવાનો
હુકમ કરતા એક ચર્ચાસ્પદ બનેલ
પ્રકરણનો અંત આવ્યો છે.
આ બનાવ અંગે બીલીમોરા
શીખ સમાજે 16મી જાન્યુઆરી
શુક્રવારના રોજ એક જાહેરસભા
તથા મહારેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું. હવે શીખ
સમાજે જાહેરસભા તથા મહારેલી
રદ કરવાનો નિર્ણય કરતા પોલીસ
અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ
લીધો હતો.
અમીન શેખ