1. દૈિનક ભાસ્કર સમૂહ 14રાજ્ય |अंक58સંસ્કરણ } મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઉત્તરાખંડ | જમ્મૂ-કશ્મીર | બિહાર } ગુજરાત | મહારાષ્ટ્ર } મહારાષ્ટ્ર } ગુજરાત | રાજસ્થાન } 7 રાજ્ય | 17 સ્ટેશનવર્ષ12|अंकઅંક288|महानगरમહાનગર
અમદાવાદ શુક્રવાર,13માર્ચ2015,ફાગણવદ-7,િવક્રમસંવત2071
સુવિચાર
ઝડપી ચાલો અને પરિસ્થિતિ
બદલો. જો તમે બદલાતા નથી
તો મતલબ કે તમે ચાલી રહ્યા
નથી. - માર્ક જકરબર્ગ
સેન્સેક્સ 28,930.41
પાછલો 28,659.17
સોનું 26,300
પાછલો 26,400
ચાંદી 35,600
પાછલો 35,800
ડોલર 62.51
પાછલો 62.78
યુરો 66.43
પાછલો 66.37
કુલપાના30 | કિંમત~4.00 | 22 + 4 (સિટી ભાસ્કર) + 4 (નવરંગ)
મનમોહનસિંઘનાટેકામાંસોનિયારસ્તાપરઉતર્યાં
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ દ્વારા જણાવવામાં
આવ્યું હતું કે ભાજપનું રહસ્યમય મૌન સમજાતું
નથી. જ્યારે સીબીઆઈ કહે છે કે મનમોહન
ઉપર ગુનાઇત કાર્યવાહીના પુરાવા નથી મળતા
તો સરકારે તે અંગે સહમત થવું જોઇએ.
સરકાર એવું કેમ નથી કરી રહીω? કોંગ્રેસના
તમામ વરિષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો
હતો કે સિંઘ નિર્દોષ સાબિત થશે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે પક્ષના
વડામથકથી મનમોહનસિંઘના ઘર સુધી રેલી કરીને સંકેત આપ્યો
હતો કે સમગ્ર કોંગ્રેસ પક્ષ મનમોહન સિંઘની સાથે છે. રેલીમાં
મલ્લિકાર્જુન ખડગે, પી. ચિદમ્બરમ, આનંદ શર્મા, અંબિકા સોની,
એ. કે. એન્ટોની, વિરપ્પા મોઇલી જેવા મોટા નેતાઓ સામેલ
થયા હતા. સત્તા ઉપરથી ઉતર્યા બાદ કોંગ્રેસના નેતાઓ પ્રથમ
વખત રસ્તા ઉપર આવ્યા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી
રજાઓ ઉપર હોવાથી કૂચમાં જોડાયા નહોતા. સોનિયાએ એવા
સંકેત આપ્યા છે કે પાર્ટી સમન્સ મોકલવાની કાર્યવાહી વિરુદ્ધ
સુપ્રીમકોર્ટમાં પણ જઈ શકે છે.
સરકારચૂપકેમ?:ચિદમ્બરમ
પહેલાં ગૂડ ન્યૂઝ
SBIનાગ્રાહકોનેહોમલોનના
વ્યાજપરપર્સનલલોન
નવી દિલ્હી | એસબીઆઈએ તેના
ગ્રાહકોને હોમલોનના રેટ પર પર્સનલ
લોન આપશે. હવે ગ્રાહકોને પર્સનલ,
ટોપ અપ લોન પર એટલું જ વ્યાજ
આપવું પડશે જેટલું હોમલોનમાં આપે
છે. ગ્રાહકો 10.15 ટકાના દરે પર્સનલ
લોન લઈ શકે છે, પણ એક શરત
છે કે તે હોમલોનનું વ્યાજ સમયસર
ચૂકવતો હોય.
20 માર્ચે પૂર્ણ સૂર્યગ્રહણ પણ
ભારતમાંનહીંદેખાય
ઈન્દોર| સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ખાસ
સ્થિતિને કારણે 20 માર્ચના રોજ પૂર્ણ
સૂર્યગ્રહણ છે પરંતુ આ ખગોળિય
અદભુત નજારો ભારતમાં જોવા નહીં
મળે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. આ
ગ્રહણ યુરોપ એટલાન્ટિંગ મહાસાગર
અને આફ્રિકામાં દેખાશે.
કોરિયોગ્રાફરગીતાએબાઈકને
ટક્કરમારતાધરપકડથઈ
મુંબઈ| કોરિયોગ્રાફર ગીતા કપૂરની
કારે એક યુવકને ટક્કર મારી છે.
આ ટક્કર એટલી
ખતરનાક હતી કે
યુવકના બંને પગ
ભાંગી ગયા છે.
જાણવા મળ્યું છે
કે ગીતા પોતે કાર
ચલાવતી હતી. ઘટના સવારે 5 વાગે
ઓશીવરામાં થઈ હતી.
ન્યૂઝ ઈન બોક્સ
બેંગ્લોર|જો તમારી રોજની જિંદગીમાં
કોઈ નાની મોટી મુશ્કેલી છે, અથવા
પ્રોફેશનલ કે પારિવારિક જિંદગીમાં
તકલીફ હોય તો આ રિલિજન
સાઈટ તમારી મદદગાર બનશે. આ
સાઈટ jeevanmantra.in ને લોન્ચ કરી
આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે.
આ પ્રસંગે શ્રીએ કહ્યું જો જીવન
ખુશીભર્યું બનાવી રાખવા ઈચ્છતા
હો તો દરરોજ કેટલીક મિનિટ આ
સાઈટ પર આવશો તો ખરેખર આપને
શાંતિ મળશે. આ સાઈટ તમને રોજની
જિંદગીની દરેક જરૂરિયાતમાં મદદ
મળશે. (અનુસંધાન પાના નં.19)
સરળજિંદગીમાટેસરળસૂત્ર
જણાવશેનવીરિલિજનસાઈટ
દક્ષિણઆફ્રિકાનોચોથોવિજય
દક્ષિણઅાફ્રિકા
341/6 (50)
યુએઈ
195 (47.3)
ડીવિલિયર્સસિક્સરકિંગ
04છગ્ગા99રનનીઈનિંગમાં.
20છગ્ગાવિશ્વકપમાં,નવોરેકોર્ડ
18છગ્ગાનોહેડનનોરેકોર્ડતોડ્યો
આજની મેચ
ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ
સવારે 6.30 વાગ્યાથી
ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન
સવારે 9 વાગ્યાથી
વર્લ્ડ કપ વિન્ડો
ભાસ્કર વિશેષ કંપનીનીલાપરવાહીઅનેખરાબસર્વિસથીકંટાળીનેકોટાનાવ્યવસાયીએગ્રામપંચાયતનેકારઆપી
કચરોઉઠાવવામાટે10લાખનીકારઆપીદીધીભાસ્કરન્યૂઝ.રામગંજમંડી(કોટા)
રાજસ્થાનના કોટામાં બુધવારે રસપ્રદ ઘટના જોવા મળી.
કાર કંપનીની ખરાબ સર્વિસથી કંટાળીને એક વ્યવસાયીએ
10 લાખ રૂપિયાની કાર કચરો ઉઠાવવા માટે દાનમાં આપી
દીધી.
કોટાના રામગંજમંડીના મોડક સ્ટેશન ગામના ગ્રામ
પંચાયત કાર્યાલયમાં એક સમારંભનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સમારંભમાં ગ્રામ પ્રધાન ભગવાનસિંહ
ધાકડ અને બીડીઓ જગદીશ મીણા ઉપસ્થિત રહ્યા હતા.
વ્યવસાયી રાજેશ પારેતા આવ્યા અને સરપંચ મમતા
મેવાડાને પોતાની ડસ્ટર કારની ચાવી સુપરત કરતા
જણાવ્યું ‘આજથી આ ગાડી આપ લોકોની, મારી બસ
એક જ શરત છે કે આ કારથી માત્ર કચરો ઉપાડવાનું કામ
જ થવું જોઇએ.’ પારેતાની આ વાત સાંભળી અને કારને
જોઇને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો ચોંકી ગયા. ખરેખર કાર
દાનમાં આપતા પહેલા તેમણે જાતે જ ગાડી પર મોટા-મોટા
અક્ષરમાં ‘કચરાપાત્ર વાહન’ લખીને લાવ્યા હતા.
રાજેશ પારેતાએ જણાવ્યું કે
2012માં તેમણે આ ડસ્ટર
ખરીદી હતી. શરૂઆતથી જ
કારની ઇલેક્ટ્રિક સિસ્ટમ
અને એરન્ડિશનમાં સમસ્યા
હતી. વર્ષના 365માંથી 200
દિવસ તો કાર કંપનીના
વર્કશોપમાં જ પડી રહી.
ત્યાર પછી પણ કંપનીવાળા
કાર સુધારી ન શક્યા.
પરેશાન થઇને મેં આ ગામનો
કચરો ઉઠાવવા માટે કાર
દાનમાં આપી દીધી.
365માંથી200દિવસ
તોસર્વિસમાટેપડીરહી
રોલ્સરોયસનીવાર્તા
પ્રખ્યાત વાર્તા છે કે લંડન યાત્રા દરમિયાન
અલવરના મહારાજા જયસિંહ સાદાં વસ્ત્રોમાં
રોલ્સ રોયસના શો રૂમમાં ગયા તો તેમને
અપમાનિત કરીને શો રૂમમાંથી કાઢી મૂકવામાં
આવ્યા. તેમણે પાછો
સંદેશ મોકલાવ્યો કે
અલવરના મહારાજા
કાર ખરીદવા
આવી રહ્યા છે. તો
સ્વાગતમાં લાલ
જાજમ પાથરવામાં આવી. તેમણે ત્યાંની બધી
છ રોલ્સ રોયસ કાર ખરીદી લીધી.અલવર
પહોંચ્યા પછી આ કારોને કચરો ઉઠાવવામાં
લગાડી દીધી. કંપનીએ માફી માગ્યા પછી જ
કારોથી કચરો ઉઠાવવાનું બંધ કરાયું.
ધારીમાંએકઈંચવરસાદ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં
અચાનક પલ્ટો આવ્યો હતો. અમરેલી-
ધારીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો
હતો. જાફરાબાદ, રાજુલા, સાવરકંુડલા,
સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ ઝંઝાવાતી
પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરત
તથા ઉકાઈના ઉપરવાસમાં કરા પડ્યા
હતા. ભરૂચમાં બપોર બાદ ઠેર ઠેર ઝરમર
વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં પણ
ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો.
}પાકનેનુકસાન
ફાગણમાં અષાઢી માહોલ
સર્જાતા અનેક પાકને
નુકસાન જવાની ભીતિ
સેવાઈ રહી છે. ખાસ
કરીને ઘઉં, જીરુ, કેરી
તથા શાકભાજીના પાકને
મોટાપ્રમાણમાં નુકસાન
થયું છે. પખવાડિયા અગાઉ
પણ આ રીતે અચાનક
વાતાવરણમાં પલટો આવ્યો
હતો ત્યારે ખુલ્લામાં પડેલું
અનાજ પલળી ગયું હતું.
વરસાદીફાગણ|આગામીત્રણદિવસહળવાવરસાદનીસંભાવના,બપોરેગરમીબાદસાંજેઆકાશવાદળોથીઘેરાયું
વાતાવરણમાંપલટો:રાજ્યમાંઅઢીમહિનામાંચોથીવારમાવઠું
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
હિંદ મહાસાગરમાં નીચલા લેવલે સર્જાયેલાં ભેજવાળા
પવનો લક્ષદ્રીપ અને મધ્ય મહારાષ્ટ્રથી ગુજરાત તરફ
આગળ વધતાં ગુરુવારે શહેર-રાજ્યનાં વાતાવરણમાં
અચાનક પલટો આવ્યાં બાદ કેટલાક સ્થળોએ હળવો
વરસાદ તેમજ વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ આગામી
ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ
વિસ્તારોમાં હળવો વરસાદ કે વરસાદી છાંટાની સંભાવના
હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અનેક ઠેકાણે કરા પડ્યા
હોવાનું પણ નોંધાયું છે. ...અનુસંધાન પાના નં.19
અનેકઠેકાણેકરાસાથેવરસાદ,સ્વાઈન
ફ્લૂવકરવાનીસેવાઈરહેલીભીતિ
ભરબપોરે ગાઢ વાદળોતી ઢંકાઈ ગયેલું અમદાવાદનું આકાશ
અપરએરસાયક્લોનીકસરક્યુલેશન,વેસ્ટર્નડિસ્ટર્બન્સનીઅસર
છેલ્લાં અઢી મહિનામાં અમદાવાદમાં ચાર વખત
માવાઠાની સ્થિતિ સર્જાઇ છે. તેમજ 1લી ફેબ્રુઆરીનાં
રોજ અમદાવાદમાં અડધાથી પોણો ઇંચ વરસાદ
ખાબકયો હતો. ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં
અઢી મહિનામાં અમદાવાદમાં ચાર વાર માવઠાની સ્થિતિ
સર્જાઇ છે. જેમાં ભાર પવન ફુંકાયા પથી અચાનક
વરસાદ તુટી પડયો હતો. ગત 4 જાન્યુઆરીનાં રોજ
હળવા છાંટા, 14મી ફેબ્રુઆરીએ ધુમ્મસ બાદ વરસાદી
છાંટા, 1લી ફેબ્રુઆરીએ ભારે પવન ફુંકાયા બાદ પોણો
ઇંચ વરસાદ તેમજ 10 અને 27મી ફેબ્રુઆરીનાં રોજ પણ
વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ચીનેભારતીયલોકશાહીનીમજાકઉડાવી
એજન્સી.બેઈજીંગ
ચીનના સરકારી મીડિયાએ ભારતની
લોકશાહીની મજાક ઉડાવી છે. સરકારી ન્યૂઝ
એજન્સી સિન્હુઆએ વ્યંગ્ય કરતા લખ્યું છે કે જો
ચીને પણ ભારતની જેમ લોકશાહી અપનાવી
હોત તો તે પણ બીજું ભારત બની ગયું હોત.
વિશ્વના 20 ટકા ગરીબો ભારતમાં રહે છે.
2014માં ભારતની પ્રતિવ્યક્તિ જીડીપી ચીનની
જીડીપીથી ચોથા ભાગની રહેવા પામી છે.
આફ્રિકી દેશોની મજાક કરતા કહ્યું છે કે
તે પણ આફ્રિકન દેશો જેવો થઈ ગયો હતો.
શ્રીલંકાને સલાહ આપતા મીડિયામાં જણાવ્યું
છે કે ચીન સાથે કરાયેલી સમજૂતીનું સન્માન
કરવામાં આવે. શ્રીલંકાએ ચીનની કંપની દ્વારા
દોઢસો કરોડ અમેરિકી ડોલરના પોર્ટ પ્રોજેક્ટ પર
પ્રતિબંધ લગાવ્યો છે. ચીનના રાજદૂતે કહ્યું છે કે
તે શ્રીલંકા સાથે વિશ્વાસપાત્ર સાથીદાર તરીકે કામ
કરવા માગે છે.
ચીનેલોકશાહીઅપનાવીહોતતો
બીજુંભારતબનીગયુંહોત
...પરંતુજમીનસંપાદનબિલઅંગે
કોંગ્રેસનોરેલવેનાપાટાપરવિરોધ
{કોંગ્રેસે બિલના વિરોધમાં સમગ્ર યુપીમાં
ટ્રેનો અટકાવી હતી. { રાજ્યસભામાં હવે
સરકારનો માર્ગ સરળ નથી.
આર્થિકસુધારાનેવેગ|ભાજપ-કોંગ્રેસએકથતાંસાતવર્ષથીઅટકેલું
વીમાવિધેયકઅઢીકલાકમાંપસાર
આપણીપાસેવિકલ્પોવધશે,સરકારનેપૈસામળશે
1.વીમાનોવ્યાપવધશે
હાલમાં દેશની 75 ટકા જનતા
પાસે વીમો નથી. હવે નવી
વિદેશી કંપનીઓ આવશે, હાલની
કંપનીઓ વધારે મજબૂત બનશે,
વધુ લોકો પોલિસી ખરીદી શકશે.
4.નોકરીઓમળશે
વીમાની આર્થિક મજબૂતીને કારણે
નોકરીની તકોમાં વધારો થશે.
એ વિસ્તારો ઉપર વધારે ભાર
આપવામાં આવશે કે જ્યાં લોકો
વીમો ઓછો લે છે.
નિષ્ણાત:ક્રિસિલનામુખ્યઅર્થશાસ્ત્રીડી.કે.જોશીઅનેઆયોજનપંચનાભૂતપૂર્વસભ્યસૌમિત્રચૌધરીનાજણાવ્યાઅનુસાર.
2.સ્પર્ધાવધશે
હાલમાં એલઆઈસીનો દેશના
વીમાબજારમાં 70 ટકાનો હિસ્સો
છે. વિદેશી બજાર ખૂલવાને કારણે
નવી કંપનીઓ આવશે. સ્પર્ધા વધશે
જેના કારણે લોકોને લાભ થશે.
5.નવીપ્રોડક્ટઆવશે
કંપનીની સાથે વિદેશોમાંથી નિષ્ણાતો
પણ આવશે. નવી પ્રોડક્ટ લાવશે.
સસ્તી પોલિસીઓ અને સારી
સેવાઓ મળશે. ક્લેમ સેટલમેન્ટ
રેશિયોમાં સુધારો થશે.
3.વધારેમૂડીઆવશે
ખાનગી કંપનીઓ નુકસાનમાં છે.
એફડીઆઈની મર્યાદા વધવાને
કારણે તેમને રૂ. 10 હજાર કરોડ
કરતાં વધારે મૂડી મળશે. જે 40થી
60 હજાર કરોડ સુધી પહોંચી શકે.
6.ઇન્ફ્રાક્ષેત્રેનાણાંઆવશે
વીમાના ક્ષેત્રમાં નાણાં લાંબા સમય
માટે આવે છે. આવામાં આ નાણાંનો
ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે
કરી શકાશે. પરિણામે દેશને
ફાયદો થશે.
ટેકનિકલજટિલતાથીબે
વારહોબાળોથયો
બિલ રજૂ કરવા દરમિયાન
ટેકનિકલ જટિલતા પણ
સર્જાઇ. ડાબેરી પક્ષો, સપા
અને બસપાના સભ્યોની
દલીલ હતી કે આવા બિલ
પર સિલેક્ટ કમિટી 2008માં
ચર્ચા કરીને રિપોર્ટ આપી
ચૂકી છે. તે ગૃહની સંપત્તિ છે.
તેને પાછા લીધા વગર નવો
ખરડો રજૂ થઇ શકે નહીં.
હંગામાને કારણે બે વાર
ગૃહની કાર્યવાહી સ્થગિત
કરવી પડી. ત્યાર પછી રાજ્ય
કક્ષાના નાણાપ્રધાન જયંત
સિંહાએ જૂનું બિલ પાછું
લઇને નવું બિલ રજૂ કર્યું.
26થીવધીને49ટકા
વિદેશીરોકાણમર્યાદાથશે
બેવિદેશકંપનીની
જાહેરાત-રોકાણવધારશે
ભાસ્કરન્યૂઝનેટવર્ક.નવીદિલ્હી
છેવટે વીમા વિધેયક પસાર થઈ ગયું.
રાજ્યસભામાં કોંગ્રેસના સમર્થનથી
આ શક્ય બન્યું હતું. આ વિધેયક
સાત વર્ષથી અટકેલું હતું. તેને
લોકસભામાં 4 માર્ચે મંજૂર કરવામાં
આવ્યું હતું. હવે રાષ્ટ્રપતિની મહોર
બાકી છે. ત્યારબાદ વીમા ક્ષેત્રે
વિદેશી રોકાણની મર્યાદા 26 ટકાથી
વધીને 49 ટકા થઈ જશે.
વીમા વિધેયકને મંજૂરી આર્થિક
સુધારાની દિશામાં મોટા પગલાં
સમાન માનવામાં આવે છે.
વિધેયકના સમર્થનમાં કોંગ્રેસ ઉપરાંત
એઆઈએડીમએમકે, બીજેડી અને
એનસીપી પણ સાથે હતા. જ્યારે
તૃણમૂલ, ડીએમકે, સપા, બસપા
અને જેડીયુએ વિરોધમાં વોકઆઉટ
કર્યું હતું.
દેશમાં5થી10LICની
જરૂર: જયંતસિંહા
વિદેશી કંપનીઓના
આગમનથી એલઆઈસી
જેવી સરકારી કંપનીઓને કોઈ
નુકસાન નહીં થાય. આ ખૂબ
જ સ્પર્ધાત્મક સંસ્થા છે. વિદેશી
કંપનીઓ સાથે ટક્કર ઝીલી શકે
છે. દેશને એક નહીં પરંતુ પાંચથી
10 એલઆઈસીની જરૂર છે.
જયંત સિંહા, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી
વિદેશીકંપનીઓપૈસા
બહારલઇજઇશકશેનહીં
{ વિદેશી કંપનીઓ ભારતીયોના
પ્રીમિયમના પૈસા બહાર લઇ જઇ
શકશે નહીં. ઇરડા પોલિસીધારકોના
હિતોનું રક્ષણ કરશે.
{ દરેક વિદેશી કંપનીને ઇરડા
(વીમા નિયામક)માં રજિસ્ટ્રેશન
કરાવવું પડશે. તેના વગર પોલિસી
વેચવા બદલ 10 વર્ષ સુધીની જેલની
જોગવાઇ.
{ સરકારી વીમા કંપનીઅો
મૂડીબજારમાંથી પૈસા ભેગા કરી
શકશે. વીમા પ્રોડક્ટ્સ પર
મલ્ટીલેવલ માર્કેટિંગ રોકવા માટે
દંડની રકમ વધારવામાં આવી છે.
{ બધી કંપનીઓએ સ્વાગત કર્યું.
ફ્રાન્સની એક્જા અને બીએનપી
પારિબા 49 ટકા સુધી પોતાનો હિસ્સો
વધારશે.
એબધુંકેજેતમે
જાણવામાગોછો