1. ભાસ્કરન્યૂઝ.પોરબંદર
રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધી
1915, 25 મી
જાન્યુઆરીના
રોજ પોરબંદર આવ્યા હતા
તેમને 100 વર્ષ થશે. તે અંતર્ગત
તેમજ ગાંધી નિર્વાણ દિન નિમીતે
“દિવ્ય ભાસ્કર” અને પોરબંદર
નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા વોલ બુક-2015 નું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું છે જેમાં
ગાંધી વિચારો અને સ્વચ્છતા
મિશન ઉપર દિવાલો ઉપર ચિત્રો
બનાવવામાં આવશે.
આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં
80 થી વધુ નોમિનેશન થયા છે
અને આવતીકાલે સાંજ સુધીમાં આ
આંકડો 110 ને આંબી જશે. વોલબુક
સ્પર્ધાને જબરૂં સમર્થન મળી રહ્યું
છે. કલાના કસબીઓ પોરબંદરની
નિયત કરેલી દિવાલો ઉપર ગાંધી
વિચારો અને સ્વચ્છતાનો સંદેશો
આપતા અદભુત ચિત્રો રજૂ કરશે.
આ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા
કલેક્ટર જે.સી. ચુડાસમાનું પ્રેરક
માર્ગદર્શન મળી રહ્યું છે તેમજ આ
કલા ઉત્સવને સફળ બનાવવા માટે
પ્રાંત અધિકારી ચેતન ગણાત્રા,
ચિફ ઓફિસર આર.જે. હુદડ,
નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ
મજીઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે તો
પોરબંદરના નામાંકિત ચિત્રકારોમાં
નથુભાઈ ગરચર, બલરાજભાઈ
પાડલીયા, કમલ ગૌસ્વામી,
દિનેશ પોરીયા, શૈલેષ પરમાર,
નરેશ ગૌસ્વામી, રૂપેશ ગજ્જર,
જગદીપ ઓઝા, દિપક વિઠ્ઠલાણી,
પરિમલ મકવાણા અને સંજય ગોહેલ
સહિતનાઓ સ્પર્ધકોને માર્ગદર્શન
અને પ્રોત્સાહન આપશે. સ્પર્ધકોએ
ચિત્ર દોરવાનાં સાહિત્ય સાથે
એમ.ઇ.એમ. સ્કુલ ખાતે સાંજે 4
વાગ્યે હાજર રહેવાનું રહેશે.
પોરબંદરનીદિવાલો બનશેકેનવાસ,
ગાંધી અને સ્વચ્છતાનાં રંગે રંગાશે
દિવ્ય ભાસ્કર અને પાલિકાનાં વોલબુકની સ્પર્ધાને જબરો પ્રતિસાદ
ભાસ્કરન્યૂઝ.પોરબંદર
પોરબંદરમાં આવેલી વી.જે. મદ્રેસા
બોયઝ સ્કૂલમાં “ગાંધીબાપુની
મુલાકાત” નો શતાબ્દિ સમારોહ તા.
25/1/15 ના રોજ યોજાશે.
પોરબંદર વી.જે. મદ્રેસા બોયઝ
અને ગર્લ્સ હાઈસ્કૂલમાં 100 વર્ષ
પહેલા ગાંધીબાપુએ મુલાકાત લીધી
હતી. જેમને તા. 25/1/2015 ના
રોજ 100 વર્ષ પૂરા થતા હોય જેથી
શતાબ્દિ સમારોહનું આયોજન
કરવામાં આવ્યું છે. જેના મદ્રેસા
સ્કૂલમાં તા. 25/1/2015 ના
રવિવારના રોજ સમારોહ યોજાશે.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી
વિચારને અનુરૂપ રોલ પ્લે (ડ્રામા)
રજુ કરશે તેમજ ગાંધીજી અને શેઠ
હાજી અબ્દુલ્લાહ ઝવેરીના સંબંધોને
ઉજાગર કરતી ચિત્રસ્પર્ધા, નિબંધ
સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે.
આ તકે અનેક અધિકારીઓ
ઉપસ્થિત રહેશે.
પોરબંદરમાં“ગાંધીજીનીમુલાકાત”
નાં શતાબ્દિ સમારોહનું આયોજન
ચિત્રઅનેનિબંધસ્પર્ધા
સહિતનાંકાર્યક્રમોયોજાશે
ન્યૂઝ ફટાફટ
તાપમાન
વધુ
28.10
ઓછુ
13.50
સૂર્યોદય કાલે
પ્રાત:07.23
સૂર્યોસ્ત આજ
પ્રાત:06.20
પૂર્વાનૂમાન | વાતાવરણમાં
સામાન્ય ફેરફાર રહે તેવી
શકયતા ....
પોઝીટીવ ન્યૂઝ
સુદામામંદિરેવસંતપંચમી
નિમીતેધ્વજારોહણથશે
પોરબંદર | પોરબંદરમાં સુદામામંદિર
ખાતે આવતીકાલે તા. 24 ને
વસંતપંચમીના દિવસે વિવિધ ધાર્મિક
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
છે, જેમાં પૂજા, અર્ચના, આહવાન,
આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત,
ધૂપદીપ, નૈવેદ્ય, મંત્ર અને ધ્વજારોહણ
સહિતના કાર્યક્રમો સવારે 10 કલાકે
યોજવામાં આવશે.
પોરબંદરમાંસાંઈબાબા
મંદિરનો22મોપાટોત્સવ
પોરબદર |પોરબંદરમાં સાંઈબાબા
મંદિરનો 22 મો પાટોત્સવની ઉજવણી
કરવામાં આવશે. નરસંગ ટેકરી પાસે
આવેલ સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરનો
22 મો પાટોત્સવ તા. 25/1/2015 ના
રવિવારના રોજ યોજાશે. જેમાં સવારે
7 વાગ્યે ધ્વજારોહણ અને સાંજે 5 થી
7 દરમિયાન સત્સંગ કરવામાં આવશે.
શીશલીમાંમનદુ:ખથી
યુવાનપર હુમલો
પોરબંદર | શીશલી ગામે રહેતા
ભીમાભાઈ ખીમાભાઈ મોઢવાડિયાએ
એવી ફરિયાદ નોંધાવી છે કે, શીશલી
ગામે રહેતા ભીખુ જીવા, રામા જીવા,
ગીગા જીવા અને રાજુ ભીખુ-આ ચાર
શખ્સોએ અગાઉના મનદુ:ખના કારણે
માર મારતા 4 શખ્સો વિરૂદ્ધ બગવદર
પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ(જૂનાગઢ), શનિવાર, 24જાન્યુઆરી,2015 મહાસુદ-4,િવક્રમસંવત2071રાણાવાવ } કુતિયાણા બગવદર } માધવપુર ઘેડ
બજાર ભાવ
સોના ~27000 165
22 કેરેટ પાછલા 26,835.00
ચાંદી ~4000 100
22 કેરેટ પાછલા 4100.00
પંચ તંત્ર
પશ્ચિમી પવનના લીધે
ભાગ્યવાન લોકો સમજશે
કે હું "આપ'માં જોડાઇ
ગયો છું
મફલર નહીં પહેરુ
ઠંડીમાં વધારો
ગણેશજયંતિનીઉજવણી
દેલવાડામાં આજે કનકેશ્વરી મંદિરે
ગણેશજીને શ્રધ્ધાળુઓએ તલનાં
લાડુનો ભોગ ધર્યો હતો. ભાવિકોમાં
તિલકુંદ ચતુર્થી તરીકે ઉજવાય છે.
જિલ્લાનાં10પૈકી6પરીક્ષાકેન્દ્રોપર
હજુસીસીટીવીકેમેરાનથીલાગ્યા
24શાળાઓમાંઆગામીમાર્ચથીકુલ13,133છાત્રોબોર્ડનીપરીક્ષાઆપશે
ભાસ્કરન્યૂઝ.પોરબંદર
આગામી માર્ચમાં માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
દ્વારા ધોરણ 10 અને 12 ની
પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને
પોરબંદર જિલ્લામાં તૈયારીઓ શરૂ
થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા
દરમિયાન પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી
કેમેરાથી સુસજ્જ કરવામાં આવશે.
જો કે જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પૈકી
6 કેન્દ્રોની 24 જેટલી શાળાઓ સીસી
ટીવી કેમેરા વિહોણી છે. પરીક્ષા
પૂર્વે આ પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી
કેમેરાથી સુસજ્જ કરવાની તૈયારીઓ
શરૂ કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી
બોર્ડની પરીક્ષા આગામી માર્ચમાં
લેવાશે જેને લઈને પોરબંદર જિલ્લા
શિક્ષણાધિકારીની કચેરી દ્વારા
તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો
એસ.એસ.સી. ના કેન્દ્રો પોરબંદર,
વિસાવાડા, કુતિયાણા, મૈયારી,
દેવડા, રાણાકંડોરણા, રાણાવાવ,
માધવપુર,રાતિયાઅનેઅડવાણાનો
સમાવેશ થાય છે, જ્યારે વિજ્ઞાન
પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પોરબંદરની
સાન્દીપનિ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ
અને સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે
લેવામાં આવશે.
ધો. 12 સામાન્ય પ્રવાહના
પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો
પોરબંદર, કુતિયાણા, અડવાણા,
રાણાવાવ અને માધવપુરનો સમાવેશ
થાય છે. પરીક્ષાઓ દરમિયાન
ચોરીનું દૂષણ અટકાવવા માટે
રાજ્યસરકારે પરીક્ષા કેન્દ્રોને સીસી
ટીવી કેમેરાથી સુસજ્જ કરવાના
આદેશો આપ્યા છે. જો કે પોરબંદર
જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પૈકી
6 કેન્દ્રોની 24 શાળાઓમાં સીસી
ટીવી કેમેરા લગાવવામાં આવ્યા
નથી. કેટલીક શાળાઓએ સીસી
ટીવી કેમેરા લગાડવાની બાંહેધરી
આપી છે તો કેટલીક શાળાઓની
ડી.આઈ.એફ. માંથી સીસી ટીવી
કેમેરા લગાડવાની કાર્યવાહી ચાલી
રહી છે.
ક્યાપરીક્ષાકેન્દ્રોઉપરકેટલાવિદ્યાર્થીઓ?
HSC,કુલવિદ્યાર્થી6073
કેન્દ્ર કેટલા બિલ્ડીંગ બ્લોકની સંખ્યા
પોરબંદર 15 209
વિસાવાડા 02 18
કુતિયાણા 03 32
મહિયારી 01 13
દેવડા 01 10
રાણાકંડોરણા 02 21
રાણાવાવ 03 42
માધવપુર 02 24
☻રાતિયા 02 16
અડવાણા 03 34
HSC,વિ.પ્ર.,કુલવિદ્યાર્થી535
કેન્દ્ર કેટલા બિલ્ડીંગ બ્લોકની સંખ્યા
પોરબંદર 02 28
HSC,સા.પ્ર.,કુલવિદ્યાર્થી6525
કેન્દ્ર કેટલા બિલ્ડીંગ બ્લોકની સંખ્યા
પોરબંદર 13 143
કુતિયાણા 03 36
અડવાણા 01 14
રાણાવાવ 02 27
માધવપુર 02 14
સીસીટીવીકેમેરામાટે
10લાખનીગ્રાન્ટ
જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની
શાળાઓ માટે ડીટેઈલ ઈનોવેટીવ
ફંડમાંથી રૂા. 10 લાખના ખર્ચે સીસી
ટીવી કેમેરા ખરીદવામાં આવશે
અને આ શાળાઓને સીસી ટીવી
કેમેરાઓથી સુસજ્જ કરવામાં
આવશે. જો માર્ચ સુધીમાં આ
શાળાઓમાં સીસી કેમેરાઓ નહીં
લાગે તો રાજ્ય સરકાર દ્વારા
ટેબલેટના માધ્યમથી રેકોર્ડીંગ
કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી
હરિયાણીએ જણાવ્યું હતું.
ક્રાઇમરિપોર્ટર.સાવરકુંડલા
અમરેલી જિલ્લામાં પશુઓની
ગેરકાયદે હેરાફેરીની પ્રવૃતિ
ફુલીફાલી છે. અવારનવાર
કતલખાને ધકેલાતા પશુઓને
બચાવી લેવામા આવે છે પરંતુ તેમ
છતા આ પ્રવૃતિ હજુ ચાલી રહી છે.
ત્યારે સાવરકુંડલાના વંડા પોલીસ
મથકના એએસઆઇ આર.ટી.રાઠોડ
સહિત સ્ટાફે ગતરાત્રીના પેટ્રોલીંગ
દરમિયાન શેલણા ચોકડી નજીકથી
પસાર થઇ રહેલા ટોરસ ટ્રક નં જીજે
24 યુ 8777ને અટકાવ્યો હતો.
પોલીસને જોઇને ટ્રકમાં બેઠેલા બે
શખ્સો નાસી છુટયા હતા. પોલીસે
ટ્રકની તલાશી લેતા તેમાં 10 ભેંસો
ભરેલી હોય પોલીસે ટ્રક અને ભેંસો
મળી કુલ રૂ. 11.50નો મુદ્દામાલ
કબજે લઇ ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી હતી. જયારે 10 ભેંસોને
સાવરકુંડલામા આવેલ શ્રીકૃષ્ણ
ગૌશાળા ખાતે મોકલી આપવામા
આવી હતી.
પોલીસનેજોતાબેશખ્સો
ઠેકડોમારીનાસીછુટયા
શેલણાનજીકથીકતલખાનેલઇ
જવાતી દસ ભેંસોને બચાવાઇ
કોડીનાર-વેરાવળહાઇવે
પરટ્રકે બાઇકનેઉડાવી
દેતાયુવાનનુંમોત
ક્રાઇમરીપોર્ટર.કોડીનાર
કોડીનાર - વેરાવળ હાઇવે પર ટ્રક
અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા
એક યુવાનનું મોત નિપજયું હતું.
જયારે બીજા યુવાનને ગંભીર
હાલતમાં જૂનાગઢ ખસેડાયો હતો.
આ બનાવથી મુસ્લિમ સમાજમાં
શોકનું મોજુ પ્રસર્યુ હતું.
કોડીનારનાં બુખારી
મહોલ્લામાં રહેતા
અલીનકી જહાંગીરમીયા નકવી
(ઉ.વ.19) અને સુફિયાન અનવર
શેખ (ઉ.વ.20) આજે સાંજે
વેરાવળથી બાઇક નં.જીજે-11-
આરઆર- 2825 પર કોડીનાર
- વેરાવળ હાઇવે પર પ્રાંસલી -
ગાંગેચાનાં વણાંક પાસે પહોંચેલ
ત્યારે કોડીનારથી વેરાવળ તરફ
જતાં ટ્રકે બાઇકને ઠોકર મારી દેતા
સર્જાયેલા અકસ્માતમાં અલીનકીનું
સ્થળ પર જ મોત નિપજયું હતું.
જયારે સુફીયાનને ગંભીર ઇજા
પહોંચતા પ્રાંચી 108નાં ડો.નરેશ
ચૌહાણ અને ગીતા ચૌહાણે
કોડીનાર દવાખાને ખસેડેલ અને
ત્યાંથી વધુ સારવાર અર્થે
જૂનાગઢ રીફર કરાયો
હતો. આ બનાવનાં પગલે
મુસ્લિમ સમાજનાં આગેવાનો
અને લોકો હોસ્પિટલે દોડી
ગયા હતાં. બુખારી યુવાનનાં
મોતથી પરિવાર અને સમાજમાં
શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
આ બનાવમાં પીઆઇ વાઘેલાએ
ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે.
બીજાયુવાનનેજૂનાગઢ
ખસેડાયો:શોકનુંમોજુ
મુસ્લિમસમાજનાંલોકો
હોસ્પિટલેઉમટીપડયા
વેરાવળથી આવતા હતાં ત્યારે ટ્રક યમદુત બન્યો, ઘાયલ સારવારમાં