Find all Gujarati News, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News, Gujarati News Paper in DivyaBhaskar.com. Find India news in Gujarati in DivyaBhaskar, No.1 Gujarati news paper & largest Gujarati daily
1. અમદાવાદ | માંડલમાં આવેલાં બ્રહ્મલીન સ્વામી
રામાનંદ સરસ્વતી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે
રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞ સત્સંગનું 20મી
ડિસેમ્બરે આયોજન કરાયું છે. જેમાં રામકથાકાર
રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી શિવ-પાર્વતી વિવાહ મહોત્સવ,
રામ જન્મ મહોત્સવ, સીતા-રામ વિવાહ મહોત્સવથી
શ્રદ્ધાળુઓને રસપના કરાવશે.
માંડલમાં20મીએકથાયોજાશે
રામપુરા(ભંકોડા) | વિરમગામ-માંડલ માર્ગ પર આવેલા
ધાકડી લબ્ધિધામ તીર્થમાં શ્રી લબ્ધિ ગુરુકૃપા પાત્ર
વિજય શીલરત્ન સુરીશ્વર મ.સા. આદીઠાણાની
શુભનિશ્રામાં પોષ દશમીના સામુહિક અઠૃમતપની
આરાધના થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ
તા.16,17,18 ડીસેમ્બર - 14 અઠૃમતપની આરાધના
અનેક આરાધકો જોડાશે. ધાકડી લબ્ધિધામ તીર્થમાં
શીલરત્ન સુરીશ્વર મ.સા. આદીઠાણા પર્ધાયા છે.
સામૂહિકઅઠ્ઠમતપનીઆરાધના
બાવળામાંરામકથાનોપ્રારંભ
બાવળા|બાવળામાં હાઇવે ઉપર અંબિકા સોસાયટીના
કોમન પ્લોટમાં રામકથાનો પ્રારંભ થયો છે. કથાના
પ્રારંભ પહેલા હરેશ રામભાઇ ભરવાડના ઘરેથી
પોથીયાત્રા નીકળી હતી. રામકથા વ્યાસપીઠે નટવરદાસ
મહારાજ (વિસલપુરવાળા) દરરોજ બપોરે 1 થી 5
કલાક સુધી રસપાન કરાવશે. કથાનું આયોજન પ્રવીણ
અમૃતભાઇ દવે પરીવાર તરફથી કરાયું છે./ભરતસિંહ
પરીક્ષાની રીસીપ મોડી મળતા
યુવાન પરીક્ષા આપી શકયો નથી,
નોકરીની આશા પર પાણી ફરી
વળતા પોસ્ટ વિભાગની કામગીરી
સામે લોકોમાં રોષ ફેલાયો છે.
રામપુરા(ભંકોડા)માં દલીત
વિસ્તારમાં પરીવાર સાથે રહેતા
સુનિલકુમાર નરસિંહભાઇ સુમેસરા
બેરોજગાર છે. તેઓએ રોજગારી
માટે રેલવેમાં નોકરી મેળવવા માટે
અરજી કરી હતી, જે સંદર્ભે રેલવે
બોર્ડ દ્વારા અરજદાર યુવાનને
રેલવેની પરીક્ષા આપવા માટે કોલ
લેટર પોસ્ટ દ્વારા રવાના કરવામાં
આવ્યો હતો. કોલ લેટર અરજદાર
યુવાનને તા.9/12/14ના રોજ પોસ્ટ
દ્વારા મળ્યો છે, પરીક્ષાના પંદર દિવસ
બાદ યુવાનને કોલ લેટર મળતા
બેરોજગાર યુવાન પરીક્ષાથી વંચિત
રહ્યો છે, કોલ લેટર મોડો મળતા
યુવાન અને તેના પરિવારજનોમાં
રોષ ફેલાયો છે.
બેદરકારી|રામપુરા(ભંકોડા)નાયુવાનનેરેલવે
પરીક્ષાની તારીખ ગયા પછી
અરજદારનેતેનીરીસીપ્ટમળી
કોલલેટરમોડેપડતાપરીક્ષાનઆપીશકાઇ
ભાસ્કરન્યૂઝ.રામપુરા(ભંકોડા)
રામપુરા(ભંકોડા)નાએકદલીતયુવાનેરેલવેમાંનોકરીમેળવવામાટે
રેલવેભરતીબોર્ડમાંઅરજીકરીહતી.ભરતીબોર્ડમુંબઇદ્વારાપરીક્ષા
આપવામાટેનોકોલલેટરમોકલવામાંઆવ્યોહતો.તા.23/11/14ના
રોજસવારે10.35બાપુનગરઅમદાવાદમાંપરીક્ષાઆપવાનીહતી.પરંતુ
તેમાટેનોકોલલેટરઅરજદારયુવાનનેતા.9/12/14નારોજમળ્યોછે.
કચ્છડોબારેમાસ....
િશયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, સારો મેધ વરસે તો વાગડ ભલો, કચ્છડો બારે માસ. આ અેક ગુજરાતના
વાતાવરણની તાસીર છે. ત્યારે કચ્છથી વિરમગામ પંથક તરફ આવતા આ માલધારીઓ પોતાના કચ્છના રણના વાહન
તરીકે પ્રખ્યાત ઉંટને સાથે રાખીને પોતાનું પેટીયું રડવા અલગ-અલગ જગ્યાએ જતા હોય છે. ત્યારે પંથકમાંથી પસાર થતાં
આ તસવીર કેરેમાં કેદ થઇ હતી.તસવીર/ જયદીપ પાઠક
અમદાવાદ|12ડિસેમ્બર,2014 સ્વામિ.મંદિરેમૂર્તિપ્રતિષ્ઠામહોત્સવ>10
||સુિવચાર||
ભલે ગમે તેટલા અસત્યો
આપની આજુ બાજુ હશે
પરંતુ સત્ય હંમેશા ભીડમાં
અલગ જ દેખાશે.
વિરમગામ } સાણંદ } બાવળા } ધોળકા } ધંધૂકા } રાણપુર } રામપુરા } દેત્રોજ } બોટાદ } માંડલ } બરવાળા
શુક્રવાર
સહાય|ઝાલાવાડનાં6855ખેડૂતોનેચેકવિતરણ:મહિલાસંચાલીતદૂધમંડળીનેમકાનબનાવવાજમીનઅનેરૂ.5લાખનીસહાય
ચૂડામાંરવિકૃષિમહોત્સવમાં18કરોડનીસહાય
રાજય સરકાર દ્વારા વચેટીયાઓને
દૂર કરીને જગતનાં તાતને સીધી સહાય
આપવા માટે ખાસ રવિકૃષિ મહોત્સવનું
આયોજન કર્યુ છે. સમગ્ર ગુજરાતમાં
ગુરૂવારે 15 થી વધુ જગ્યાએ કિસાનો
માટેનો ખાસ મહોત્સવ યોજાયો હતો.
જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન
પટેલે સુરેન્દ્રનગર જિલ્લાનાં ચૂડા
તાલુકામાંથી આ મહોત્સવનો પ્રારંભ કર્યો
હતો.
જાહેર સભાને સંબોધતા આનંદીબેને
જણાવ્યું હતું કે, નર્મદાના નીર આવતા
સુરેન્દ્રનગર જિલ્લામાં હરીયાળી ક્રાંતિ
સર્જાઇ છે. કૃષિ ઉત્પાદન વધતા ખેડૂત
આત્મનિર્ભર બન્યો છે. જગતનાં તાતની
જરૂરીયાત જાણી તે મુજબનાં સાધનોની
સહાય આપવા માટે જ આ મેળાનું ખાસ
આયોજન કરવામાં આવ્યું છે. આજનાં આ
મેળામાં જિલ્લાના 6855 ખેડૂતોની અરજી
મંજૂર કરીને તેમને ટ્રેકટર, રોટોવેટર
સહિતનાં ખેત ઉપયોગી સાધનો માટે કુલ
રૂ. 18 કરોડ રૂપિયાનાં સાધનોનું વિતરણ
કરવામાં આવ્યું છે.
આ સાધનોનાં ઉપયોગથી ખેડૂતની
મહેનત અને સમય તો બચશે જ પરંતુ
સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થશે. તો
બીજીબાજુ મુખ્યમંત્રી આનંદીબેને મહિલા
સંચાલક દૂધ મંડળીને 300 વારનો પ્લોટ
તથા તેના પર મકાન બાંધવા માટે રૂ. 5
લાખની સહાય આપવાની પણ જાહેરાત
કરી હતી.
જયારે દરેકનાં ઘરમાં શૌચાલય
બનાવવા પણ વિનંતી કરી હતી. તો
સમાજ વ્યવસ્થાને છીન્નભીન્ની થતી
અટકાવવા માટે બેટીને બચાવી ભ્રૃણ હત્યા
રોકવા પર ભાર મૂકી ગર્ભને સ્મશાન ભૂમી
બનતી અટકાવવા જણાવ્યું હતું.
સભામાંકપાસનાભાવનીબૂમોપડતાખેડૂતનેબહારલઇજવાયો
આનંદીબેન પટેલનું ભાષણ શરૂ થતાની સાથે જ પ્રથમ હરોળમાં બેઠેલા કેટલાક
ખેડૂતોએ કપાસના ભાવનું શું ω કપાસના ભાવનું કાંઇક કરો તેવી બૂમો પાડવાની
શરૂઆત કરી હતી. આથી ચાલુ ભાષણે કપાસના ભાવના લઇને હોબાળો મચવાની
શકયતા જણાતા પોલીસે બૂમો પાડનાર લોકો પૈકી એકને બહાર લઇ જતા બાકીના
ખેડૂતો પણ શાંત થઇ ગયા હતા.
કાળાવાવટાનાકાર્યક્રમથીતંત્રદોડતુથયુ
લીંબડીથી ચૂડા તરફ જવા મુખ્યમંત્રીનો કાફલો જયારે પસાર થાય ત્યારે કાળા
વાવટા ફરકાવી વિરોધ કરવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરાયુ હતુ. પરંતુ લીંબડી
તાલુકા સેવાસદનમાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક લાંબી ચાલી હતી. જયારે વિરોધ
કરવા ભેગા થયેલા કોંગ્રેસના કેટલાક ગણ્યા ગાંઠ્યા કાર્યકરો પૂરતી સંખ્યામાં ન
થતા કાર્યક્રમ પડતો મૂકાયો હતો. જોકે, કાળા વાવટા ફરકાવવાની વાત સાંભળી
પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. પરંતુ અંતે વિરોધ કાર્યક્રમ બંધ રહેતા ભાજપના
નેતાઓ અને પોલીસ તંત્રે રાહતનો દમ લીધો હતો.
જિલ્લામાંકોમીઅથડામણબંધકરવાઅપીલ
જિલ્લામાં માત્ર થાન પંથકમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઇ રહી છે. પરિણામે સમગ્ર
જિલ્લાની શાંતિ ડહોળાઇ રહી છે. તે બાબતની ગંભીરતાની નોંધ લઇ મુખ્યમંત્રીએ
વેરભાવ ભૂલી બન્ને જ્ઞાતિના લોકોને શાંતિથી રહેવા માટે અપીલ કરી હતી. સાથે
સાથે જો સુરેન્દ્રનગર જિલ્લો શાંત હશે તો નવા ઉદ્યોગો આવશે, રોજીરોટીની તકો
વધવાની સાથે સર્વાંગી વિકાસ થવાની પણ ટકોર કરી હતી.
ફાટકબંધથતાઅધિકારીઓઅકળાયા
જયાં આનંદીબેન આવવાના હતા તે સ્થળ પર પહોંચતા પહેલા એક ફાટક આવતી
હતી. એક તરફ આનંદીબેનના આગમનની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે જ રેલવે
ફાટક બંધ થઇ હતી. આથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઉભુ રહેવુ પડ્યુ હતુ.
ફાટક ખોલવા માટે અનેક વિનંતી કરવા છતાં નિયમ અનુસાર ફાટક ન ખૂલતા
અધિકારીઓ અકળાઇ ઉઠ્યા હતા.
લીંબડીમાં મુખ્ય
મંત્રીનીસમીક્ષાબેઠક
ભાસ્કરન્યૂઝ.સુરેન્દ્રનગર,ચૂડા
સુરેન્દ્રનગરજિલ્લાનાંખેડૂતોનેકૃષિક્ષેત્રનીસહાયલેવા
માટેકચેરીનાંધક્કાખાવાપડતાહતાં.જેમાંઅભણખેડૂતને
ખૂબ મુશ્કેલી વેઠવી પડતી હતી. પરંતુ જગતના તાતની
મુશ્કેલી દૂર કરવા માટે જ સરકારે રવિકૃષિ મહોત્સવનું
આયોજન કર્યુ છે. આ મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર
જિલ્લાનાં6855ખેડૂતોનીઅરજીમંજૂરકરીનેરૂ.18કરોડ
જેવી માતબર રકમની સહાયના ચેક વિતરણ કરવામાં
આવ્યાહોવાનુંગુજરાતનામુખ્યમંત્રીઆનંદીબેનપટેલે
જણાવ્યું હતું. ચૂડા ખેતી રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ
કરાવતામુખ્યમંત્રીએજાહેરસભાનેસંબોધીહતી.અને
સરકારનીવિકાસલક્ષીયોજનાઓનીમાહિતીઆપીહતી.
ગર્ભનેજસ્મશાનભૂમિબનતામાતાઅટકાવે:ઘર
ઘરશૌચાલયબનાવવામુખ્મંત્રીએઅપીલકરી
ચૂડા ખાતે રવિ કૃષિ મહોત્સવ
કાર્યક્રમમાં જતા પૂર્વે લીંબડી
સેવાસદનમાં મુખ્યમંત્રી આનંદીબેન
પટેલની સમીક્ષા બેઠક યોજવામાં
આવી હતી. જેમાં જિલ્લા ભાજપના
પદાધિકારીઓ, ધારાસભ્યો,
હોદ્દેદારોએ તેમના વિસ્તારોને
લગતાં પ્રશ્નો રજૂ કર્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રીએ જિલ્લાના
સરકારી વિભાગના અધિકારીઓ
સાથે પણ સરકારની વિવિધ
યોજના અને વિકાસના કામોની
સમીક્ષા કરી હતી.
સાંજેબનેલીઆગનીઘટનામાંપેસેન્જરોનોઆબાદબચાવ
સનાથલનજીકસ્ટાફબસમાંઆગલાગીભાસ્કરન્યૂઝ.સાણંદ
સાણંદ નજીક આવેલા સનાથલ
સર્કલ પાસે ચાંગોદર ખાતે આવેલી
કંપનીની સ્ટાફબસ અચાનક ભડભડ
સળગી ઉઠી હતી, જોકે પેસેન્જરોનો
આબાદ બચાવ થયો હતો.
સાણંદ તાલુકા ચાંગોદર ખાતે
આવેલી મમતા એન્જીનીયરીંગ
કંપનીની સ્ટાફબસ કર્મચારીઓ
લઇને સાંજે 6 વાગ્યે અમદાવાદ તરફ
જવા નીકળી હતી ત્યારે સનાથલ
સર્કલ નજીકથી પસાર થવાના સમયે
એકાએક આ લકઝરીમાં આગ ફાટી
નીકળી હતી. જોકે આગ જોતા જ
તમામ કર્મચારીઓ તાબડતો બસની
બહાર નીકળી જતા તમામનો બચાવ
થયો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ
પકડતા આખી લકઝરી આગની
જવાળાઓમાં લપેટાઇ હતી.
ચાંગોદર પોલીસને ઉપરોકત
ઘટના અંગે જાણ થતા પીઆઇ
બી.એસ. જાદવ સહીતનો સ્ટાફ
ઘટના સ્થળે દોડી જઇ ફાયર બ્રિગેડની
મદદથી આગને કાબુમાં લીધી હતી.
અનુસૂચિતજાતિપછાતવિકાસનિગમપદેનિમણૂકથતા
ચોકડીગામેસન્માનસમારોહયોજાયોભાસ્કરન્યૂઝ.બરવાળા
બરવાળા તાલુકાના ચોકડીગામના
લલીતચંદ્ર સાધુની અનુ.જાતિ અતિ
પછાત વિકાસ નિગમ ગુ.રાજયના
ડીરેકટર તરીકે ગુ.રાજયના મુખ્યમંત્રી
દ્વારા નિમણુંક કરાતા તેમના ચોકડી
ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ
યોજાયો હતો.
સન્માન સમારોહમાં માધવભાઇ
ભુંગાણી બોટાદ જિ.ભાજપ,
કાળુભાઇ પટેલ, ધારાબેન ત્રિવેદી,
બળદેવ પ્રજાપતિ, કનકબેન છાપરા,
બ્રિજરાજસિંહ ઝાલા, કમલેશ રાઠોડ
ન.પા. પ્રમુખ બરવાળા, રાજેન્દ્રસિંહ
ચુડાસમા, દીપક રાણપુરા, રતનબેન
ડાભીની ઉપસ્થિતીમાં તા.10/12ના
રોજ 3 કલાકે ચોકડીગામે યોજવામાં
આવ્યો હતો.
જેમાં બરવાળા તાલુકામાંથી 30થી
વધુ લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં
જોડાયા હતા અને તમામ સભ્યોની
મોબાઇલ દ્વારા ઓનલાઇન સભ્ય
નોંધણી કરાઇ હતી. ઉપસ્થિતો દ્વારા
ચોકડીગામના લલીતભાઇ સાધુને
ગુ.રાજયના અનુ.જાતિ અતિ પછાત
વિકાસ નિગમમાં ડીરેકટર તરીકે
નિમણુંક થતાં બોટાદ જિ.ભાજપ
હોદેદારો, ચોકડી ગ્રામજનો દ્વારા
પુષ્પગુચ્છ-સાલ ઓઢાડી સન્માનિત
કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે મોટી
સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને
કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
બગોદરારોડઉપર
ટ્રકઅનેટેન્કરની
ટક્કરમાંએકનંુમોત
ભાસ્કરન્યૂઝ.ધોળકા
વટામણ-બગોદરા હાઇવે ઉપર
ભુંભલી ગામના પાટીયા પાસે
ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં
એકનું મોત નીપજયું હતું, જયારે
અન્ય બે લોકોને નાનીમોટી ઇજાઓ
પહોંચી હતી. કોઠ પીએસઆઇ
ઝે.જી. મલેકના જણાવ્યા અનુસાર
વટામણ-બગોદરા હાઇવે ઉપર
ભુંભલી ગામના પાટીયા નજીક
ટ્રક સાથે સામેથી આવી રહેલ
ટેન્કર સાથે ટક્કર થતાં ટેન્કર
ચાલક નરસિંહભાઇ ઉર્ફે બાબુભાઇ
ભલાભાઇ વડગામા ઉ.વ.54 (રહે.
રાજકોટ)નું ઘટનાસ્થળે મોત નીપજયું
હતું, જયારે ટ્રકચાલક અને કલીનરને
નાનીમોટી ઇજાઓ પહોંચતા
સારવાર અર્થે ખસેડાયા હતા. આ
અંગે કોઠ પોલીસે અકસ્માતનો ગુનો
નોંધ તપાસ હાથ ધરી હતી.
બોટાદશહેરમાં
પાલીતાણાબ્રાન્દા
ટ્રેનનુંઆગમન
ભાસ્કરન્યૂઝ.બોટાદ
તાજેતરમાં વેર્સ્ટન રેલ્વે દ્વારા
પાલીતાણા બ્રાન્દ્રા વિકલી ટ્રેઇન શરૂ
કરાયું છે. જે ગુરુવારે બોટાદ મુકામે
સાંજના ૬ કલાકે આવી પહોંચતા
બોટાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
સ્વાગત કરી ફુલહાર કરાયા હતાં
ઉપસ્થિત તમામ લોકોને શરબત
તથા ચોકલેટ વિતરણ કરવામાં
આવી હતી. આ ટ્રેઇન શરૂ થતાં જૈન
સમાજમાં આનંદની લાગણી પ્રસરી
હતી. આ ટ્રેઇનનું સ્વાગત કરવા
ગટોરભાઇ હરિપરા, સૌભાગ્યભાઇ
બગડીયા, રૂપેશભાઇ બગડીયા,
તુષારભાઇ બગડીયા, અમીચંદભાઇ
ખંધાર, મયુરભાઇ શાહ તથા અનેક
આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બસનીઅનિયમિતતાથીત્રાહિમામ્રામપુરા(ભંકોડા) : મહેસાણા-
વિભાગના કડી ડેપો દ્વારા કડીથી
માંડલ વાયા દેત્રોજ-કાંઝ-રામપુરા
તરફ દોડતી બસો છેલ્લા કેટલાક
દિવસથી અનિયમિત દોડતી હોવાથી
વિસ્તારના વિદ્યાર્થી-મુસાફરો ત્રસ્ત
બન્યા છે. કડી ડેપો દ્વારા બસ
છાશવારે રદ કરી દેવામાં આવે છે.
કડી ડેપો દ્વારા દોડાવવામાં આવતી
સાંજના સમયની બસો અમદાવાદ-
માંડલ જે વાયા દેત્રોજ-રામપુરા કાંઝ
થઇ માંડલ પહોંચે છે, ત્યારબાદ મોડી
સાંજની અમદાવાદ-અશોકનગર
વાયા કડી-દેત્રોજ-રામપુરા
બસો છેલ્લા કેટલાક સમયથી
અનિયમિત છે.