1. ભાસ્કરન્યૂઝ.દાહોદ
દાહોદ શહેરમાં એક બાદ એક
સુવિધાઓનો વધારો થતો જઇ
રહ્યો છે. પાલિકા દ્વારા હાલમાં
ગોવીંદનગર સ્થિત વિવેકાનંદ
સંકુલમાં અંદાજિત 50 લાખ
રૂપિયાના ખર્ચે સિટી
મ્યુઝિયમ અને અટલજી
ગ્રથાલયનું નિર્માણ કરવામાં આવી
રહ્યું છે. શહેરીજનોને ઉપયોગી એવી
આ સુવિધાઓનંુ લોકાર્પણ માર્ચ
મહિનામાં કરવાનું પાલિકા સૂત્રો
જણાવી રહ્યા છે.
દાહોદ શહેરમાં નવા રસ્તાઓનુ
નિર્માણ કરવામાં આવી રહ્યું છે
તો સાથે શહેરમાં ટ્રાફિક સમસ્યા
સુલઝાવવા માટે હાર્દ સમા નેતાજી
બજારમાં પાર્કિંગ બનાવવામાં આવ્યુ
છે.આવ્યવસ્થાઓનાકારણેશહેરમાં
સહુલીયતનો વધારો થઇ રહ્યો છે.
તો પાલિકા ધ્વારા હાલમાં સ્વામી
વિવેકાનંદ સંકુલમાં 50લાખના ખર્ચે
સીટી મ્યુઝિયમ બનાવવામાં આવી
રહ્યુ છે. આ મ્યુઝીયમમાં દાહોદ
શહેરની સંસ્કૃતિની ઝલક સાથે
ઐતિહાસિક ચીજ વસ્તુઓ મુકવામાં
આવશે જેનો લાભ શહેરીજનોને
મળશે. તેમજ તેની સાથે અટલ
ગ્રંથાલયનુ પણ નિર્માંણ કાર્ય ચાલી
રહ્યુ છે. હાલમાં જે સ્થળે જુનુ
ગ્રંથાલય છે તે ત્રીજા માળે હોવાથી
તેમજ ગીચ વિસ્તારમાં હોવાથી મોટી
ઉમંરના લોકોને આવવા જવા સાથે
ખુબજ તકલીફોનો સામનો કરવો
પડી રહ્યો છે.
આ બાબત ધ્યાને લઇ અને
સીટી મ્યુઝિયમ અને અટલ
ગ્રંથાલય અંદાજીત રૂા.50 લાખના
ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે.
આવનારા મહિનાએામાં આ બંનેના
બાંધકામો પૂર્ણ થતાં શહેરીજનોને
ખુબ જ લાભદાયી રહેશે તે ચોક્કસ
વાત છે. વધુમાં પાલિકા પ્રમુખ સાથે
વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ
મહિનામાં આ બંને સુવિધાઓનું
લોકાર્પણ શ્રીશ્રી રવિશંકરજીના હસ્તે
કરવાનું આયોજન પણ કરવામાં
આવ્યું છે. આમ, દાહોદમાં વિકાસને
લગતા થઇ રહેલા વિવિધ કામો
અંતર્ગત સિટી મ્યુઝિયમ અને અટલ
ગ્રંથાલયનું નિર્માણ થતા નગરજનોને
ઘણી સારી સુવિધા ઉપલબ્ધ થશે.
ખાસ કરીને મોટી ઉંમરના લોકો જે
આ જૂના ગ્રંથાલયમાં જઇ નહોતા
શકતા તેમને નવું ગ્રંથાલય મળશે.
દાહોદશહેરમાં~50લાખનાખર્ચે
સિટીમ્યુઝિયમ,ગ્રંથાલયબનશે
સિટીમ્યુઝિયમમાંદાહોદનીસંસ્કૃતિનીઝલકજોવામળશે
બંનેસુવિધાઓનુંઆગામી
માર્ચમાંલોકાર્પણકરાશે
દાહોદ
ગોધરા } લુણાવાડા } હાલોલ સંતરામપુર } ઝાલોદ } લીમખેડાવડોદરા,સોમવાર,26જાન્યુઆરી,2015 મહાસુદ-7,િવક્રમસંવત2071
પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ