Find all Gujarati News, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News, Gujarati News Paper in DivyaBhaskar.com. Find India news in Gujarati in DivyaBhaskar, No.1 Gujarati news paper & largest Gujarati daily
Find all Gujarati News, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News, Gujarati News Paper in DivyaBhaskar.com. Find India news in Gujarati in DivyaBhaskar, No.1 Gujarati news paper & largest Gujarati daily
LowlaDB is a low-latency JSON database that syncs. This slide deck is a short introduction for developers, highlighting the architecture of Lowla, why you might wish to use it, and some of the key aspects of the API.
LowlaDB is a low-latency JSON database that syncs. This slide deck is a short introduction for developers, highlighting the architecture of Lowla, why you might wish to use it, and some of the key aspects of the API.
1. 4¾,રાજકોટ,બુધવાર,18માર્ચ,2015
પોલિટૂન
વિધાનસભા ડાયરી
મિત્રધારાસભ્યનેઠપકો,‘તમેનાસ્તો
કરીઆવ્યા,હુંરાહજોતોરહીગયો’
વિધાનસભા ગૃહમાં રિસેસ પડે એટલે ધારાસભ્યો
નાસ્તો કરવા માટે જાય છે અને આ માટે મિત્ર
ધારાસભ્યો સાથે જતા હોય છે. કયારેક એવુ બને કે
ધારાસભ્ય રાહ જોતા હોય ત્યાં બીજો મિત્ર ધારાસભ્ય
નાસ્તો કોઇ અન્ય સાથે કરી લેતા હોય છે. કેટલાક
દિવસથી એવી ઘટનાઓ બને છે કે ધારાસભ્યો એક
બીજાની રાહ જોતા હોય ત્યાં તેનો મિત્ર ધારાસભ્ય
નાસ્તો કે જમવા જઇ આવ્યો હોય. માણસ ગમે તેટલો
મોટો થાય કે મહાન થાય પણ તેનો સ્વભાવ કે ટેવ છૂટે
નહીં, એક ધારાસભ્ય નાસ્તો કરવા ધારાસભ્યની રાહ
જોતા હતા, તેમને નાસ્તો કરીને આવતા ધારાસભ્યએ
બોલ્યા હું તમારી રાહ જોતો હતો.
એકસરખાબેપ્રશ્નનાજવાબમાંવિસંગતતા
બદલઆરોગ્યમંત્રીનેતાકીદ
પ્રશ્નોત્તરીમાં બે એકસરખા પ્રશ્નના જવાબમાં
વિસંગતતાઓ હોવા અંગે ગત 12મી માર્ચે
વિપક્ષના સભ્ય શક્તિસિંહ ગોહિલે પોઇન્ટ ઓફ
ઓર્ડર ઉઠાવ્યો હતો. જેનું રૂલિંગ આપતા અધ્યક્ષ
ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વડોદરામાં ટીશ્યુ
કલ્ચર લેબોરેટરી અંગેના બે સરખા પ્રશ્નો પૈકી એકના
જવાબમાં એક વર્ષની સમય મર્યાદા હતી જ્યારે બીજા
જવાબમાં એક વર્ષ કરતા વધુની સમય મર્યાદા હતી
જેથી તેમાં વિસંગતતા હોય તે માની શકાય તેમ છે
તેથી પોઇન્ટ ઓફ ઓર્ડરનો અસ્વીકાર કરું છું. જ્યારે
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ સહિતના રોગચાળાના
પ્રશ્નના જવાબમાં વિસંગતતાઓ અંગેના પોઇન્ટ
ઓફ ઓર્ડરનો સ્વીકાર કરું છું તેમજ સંબંધિત મંત્રીને
જવાબમાં પૂરતી કાળજી રાખવા અને ફરી આવું ન થાય
તે જોવા માટે જણાવું છું.
ગૃહમાંમોબાઇલપરવાતકરતા
અધિકારીઓનેઅધ્યક્ષનીતાકીદ
સમયે વિધાનસભા ગૃહમાં મોબાઇલ ફોન પર
વાત કરવા પર પ્રતિબંધ છે તેમછતાં અધિકારી
ગેલેરીમાં બેસતા કેટલાક અધિકારીઓ દ્વારા મોબાઇલ
પર વાત કરવામાં
આવે છે. આ બાબતની
અધ્યક્ષ ગણપત
વસાવાએ ગંભીર નોંધ
લીધી હતી. અધ્યક્ષે
જાહેરાત કરતા જણાવ્યું
હતું કે, અધિકારી
ગેલેરીમાં બેસતા કેટલાક
અધિકારીઓ મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત રહે
છે. પાણી પણ પીવે છે. ઔચિત્યની દ્રષ્ટિએ આ બાબત
યોગ્ય નથી. જેથી અધિકારીઓને તાકીદ કરું છું કે, તેઓ
નિયમોનું પાલન કરે.
શક્તિસિંહનેટોણોમાર્યો,‘આઇએમ
સમથિંગબટયુઆરનથિંગ’
પ્રશ્નોત્તરી કાળમાં સભ્ય ગેરહાજર હોવા છતાં
તેમના પ્રશ્નનો જવાબ આપવાનો આગ્રહ
રાખીને કોંગ્રેસના સભ્ય શક્તિસિંહ ગોહિલે અધ્યક્ષ
સામે ભારે દલીલો કરી
હતી અને શાસકપક્ષના
સભ્યો તેમજ મંત્રીઓએ
ઉગ્ર વિરોધ કરતા માહોલ
ગરમાઇ ગયો હતો.
શક્તિસિંહ ગોહિલને
ઘેરવા માટે ભાજપના વિભાવરી દવે અને અને અન્ય
મહિલા સભ્યો તેમજ અન્ય સભ્યોએ ‘આઇએમ
સમથિંગ બટ યુઆર નથિંંગ’ના સૂત્રોચ્ચારો કર્યા હતા.
થોડા દિવસો પહેલા શક્તિસિંહ ગોહિલે ‘હિરોઇન
જેવા દેખાતા કેટલાક લોકો’ એવો ઉલ્લેખ કર્યા બાદ
વિભાવરી દવેએ પણ સામે ‘આઇ એમ સમથિંગ’
સમજતા કેટલાક લોકો એવો ઉલ્લેખ કર્યો હતો.
ભાવનગર - અમદાવાદ હાઇવે પર મંગળવારે સવારે 8 વાગ્યે ભાવનગરથી નલીયા જતી એસ.ટી. બસને પાછળથી આવતી
એક ખાનગી લકઝરી બસે ટક્કર મારતા એસ.ટી. બસ પલ્ટી જતા તેમાં મુસાફરી કરતા આઠ વ્યક્તિઓને ઇજા પહોંચી
હતી. ભાવનગરથી નલીયા જતી એસ.ટી. મંગળવારે સવારે વલ્લભીપુર પહોંચી તે વખતે પાછળથી આવતી મીની લકઝરી
બસે બેફિકરાઇથી ચલાવી એસ.ટી. બસને પાછળથી ટક્કર મારતા બસ રોડ સાઇડમાં ગુલાંટ મારી હતી. આ અંગે
એસ.ટી. બસના ચાલક ધમીરસિંહ બારીયાએ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી./ ભાસ્કર
ગુજરાતએસટીનીસલામતસવારીનીગુલાંટ,આઠનેઇજા
ગાંધીનગર : સરકારે નિર્દિષ્ટ કર્યા
હોય તે સિવાયના અધિકારીઓ-
પદાધિકારીઓના વાહનો ઉપરથી
લાલ લાઇટ દૂર કરવાના હાઇકોર્ટના
નિર્દેશના પાલનના ભાગરૂપે રાજ્ય
સરકાર દ્વારા હાથ
ધરવામાં આવેલી
ઝુંબેશમાં 1654 વાહનો પરથી લાલ
તેમજ અન્ય કલરની લાઇટો દૂર
કરવામાં આવી હોવાનું રાજ્યકક્ષાના
વાહન વ્યવહારમંત્રી શંકર ચૌધરીએ
વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
રાજ્યના1654
વાહનોપરથીલાલ
લાઇટઉતારી
થોભી જા મારી પ્રિયે તને
કોઇએ ખોટંુ કહ્યું છે કે
‘શરદ યાદવ’ મારો ખાસ
મિત્ર છે!
સાંસદપરિમલનથવાણીએદ્વારકાનોપ્રશ્નઉઠાવ્યો
રાજ્યસભામાંગુજરાતની
રેલવેઅંગેનામુદ્દાનીચર્ચા
મંત્રીમંડળમાં કોઇને વ્યકિત ભૂપેન્દ્રસિંહની
કાર્યાલયમાં મળીને આવે અને તેને પૂછો કે કયાં
ગયા હતા , તો તે ભાગ્યે જ કહેશે કે ભૂપેન્દ્રસિંહના
કાર્યાલયમાં,
મોટાભાગે જવાબ
બાપુ પાસે ગ્યા
હતા તેવો જ આવે.
ભાજપ અને કોંગ્રેસ
પક્ષ એમ બંને મોટા
પક્ષો પાસે એક એક
બાપુ છે. કોંગ્રેસ પાસે
વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ભાજપ
પાસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. આ બંનેને તેમના પક્ષના
મોટાભાગના કાર્યકરો, નેતાઓ બાપુથી સંબોધન કરતા
હશે, પણ આજે વિધાનસભામાં અમરેલીના ધારાસભ્ય
પરેશ ધાનાણીએ બોટાદની સ્કૂલની બિલ્ડરોને તોડી
પાડવાની રજૂઆત વખતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ
ચુડાસમાને બાપુ સાહેબને કહીને સંબોધતા સભ્યો પણ
આ નવા નામથી નવાઈ પામી ગયા હતા. વળી, તેમણે
એક વખત, બે વખત નહીં પણ કેટલીય વખત બાપુ
સાહેબ, બાપુ સાહેબ કહીને સંબોધ્યા હતા.
બીજા ‘બાપુ’ કહેવાતા ભૂપેન્દ્રસિંહ
ચુડાસમાનુંનવુંનામ‘બાપુસાહેબ’
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
રાજ્યસભામાં ઝારખંડના સાંસદ
પરિમલ નથવાણીએ સંસદના
પ્રવર્તમાન સત્રમાં ગુજરાત અને
ઝારખંડ સંબંધિત રેલવેના પડતર
મૂદ્દાઓને ઉઠાવ્યા છે. રાજ્યસભામાં
પરિમલ નથવાણીએ
જણાવ્યું કે ‘ઝારખંડ
મારી કર્મભૂમિ છે જ્યારે ગુજરાત મારું
વતન છે આથી હું બન્ને રાજ્યોની
માંગણી ગૃહ સમક્ષ રજુ કરીશ.’
રેલવેને આ પરિસ્થિતિમાંથી બહાર
લાવવા માટે રેલવે ટેરીફ રેગ્યુલેટરી
કમિશન રચવાનો અનુરોધ કર્યો હતો.
નથવાણીએ જણાવ્યું કે ‘દ્વારકા
દેશનાં ચાર પવિત્ર યાત્રાધામોમાં
સ્થાન પામે છે ત્યારે મોડેલ રેલવે
સ્ટેશન વિકસાવવાની જાહેરાત લાંબા
સમયથી કરાઇ છે પરંતુ આ દિશામાં
કોઈ કાર્ય થયું નથી. દ્વારકા જીલ્લાના
મુખ્ય મથક જામ ખંભાળિયામાં માત્ર
એકજ પ્લેટફોર્મ છે જેથી લોકોને ઘણી
તકલીફ પડે છે. ત્યાં બીજું પ્લેટફોર્મ
બનાવવાની તાતી જરૂરીયાત છે.’
ગાંધીનગર
પાટણ:વિવાદોમાંસપડાયેલારહેતાં
ર્ડા.આદેશ પાલના ડાયસપોરાના બે
પુસ્તક પ્રકાશનનું સો ટકા ચૂકવણું
કર્યાના છ વર્ષ પછી પણ પ્રકાશિત
ન થતાં ઉત્તર ગુજરાત
યુનિ.એ સસ્પેન્ડ કર્યા
હતા. સસ્પેન્ડ કર્યાના 10 દિવસમાં
પ્રકાશિત થઇને બીજી કારોબારીની
બેઠકના એક દિવસ પહેલા સોમવારે
કુલપતિની ચેમ્બરમાં પુસ્તક
પહોંચાડી દેવાતા પુસ્તક પ્રકરણ ફરી
ગરમાયો છે.
આદેશપાલનું
પુસ્તકપ્રકરણ
પુન:ગરમાશે
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના
મનરેગા કૌભાંડની જિલ્લા ગ્રામ
વિકાસએજન્સીનાઉચ્ચઅધિકારીઓ
દ્વારા થયેલી તપાસ બાદ કેટલાક
સરકારી અધિકારીઓ- ખાનગી
એજન્સીઓ તેમજ એનજીઓના
સંચાલકો વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ
સ્ટેશનમાં વર્ષ 2013માં ગુનો દાખલ
કરાયો હતો. જે સંદર્ભમાં પોલીસે
નિવૃત ટીડીઓ એમ.એમ.પ્રજાપતિ
અને બે પ્રિ ઓડીટર સહિત ત્રણ
જણાની સોમવારે હિમતનગરમાંથી
ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો
હતો. ચાલુ વિધાનસભા સત્રમાં પણ
મનરેગા કૌભાંડ ગાજયું હતું.
મનરેગાકૌભાંડ
નિવૃત્તટીડીઓ
સહિત3નીધરપકડ
પાટણ
ગાંધીનગર
નજીકનાકોલબ્લોકમાંથીકોલસોમળતા
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
ગુજરાતને વધુ 12 લાખ મેટ્રિક ટન
કોલસો નજીકના કોલ ફિલ્ડમાંથી
આપવાનું સૂચિત
થવાને કારણે
રાજ્યના વીજ ગ્રાહકોને નજીકના
ભવિષ્યમાં ફ્યૂઅલ સરચાર્જમાં રાહત
મળે તેવા સંકેત ઊર્જામંત્રી સૌરભ
પટેલે આપ્યા છે. વીજગ્રાહકોને
વીજબિલમાં માફી આપવા માંગો
છો કે કેમ તેવા વિપક્ષના દંડક
બલવંતસિંહના પ્રશ્નની સામે સૌરભ
પટેલે જણાવ્યું હતું કે, કોલસો સસ્તો
પડશે તો તેની સીધી અસર ફ્યૂઅલ
સરચાર્જ પર પડશે અને તેનો લાભ
ગ્રાહકોને પણ મળશે.
હાલ ઉકાઈ, ગાંધીનગર,
વણાકબોરી તેમજ સિક્કાના
પાવરસ્ટેશનોમાં એસઇસીએલમાંથી
૧૬૪.૪૦ લાખ મે.ટન અને
ડબ્લ્યૂસીએલમાંથી ૯.૩૦ લાખ
મે.ટન જથ્થો મળે છે.
ફ્યૂઅલસરચાર્જમાંઘટાડાનો
ઊર્જા મંત્રીએ સંકેત આપ્યો
ગાંધીનગર
સ્ટેટ બ્રિફ
અમીરગઢ | બનાસકાંઠાની સરહદને અડીને
આવેલા આબુરોડ રેલવે સ્ટેશન પરથી રેલવે
પોલીસે મંગળવારે પાલનપુર તરફ આવતી આશ્રમ
એકસપ્રેસનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બે શખ્સો
ગુજરાતમાં લવાતા લાખો રૂપિયાની કિંમતના 10
કિલો ચરસના જથ્થા સાથે પકડાયા હતા.
ગુજરાતમાંઘૂસાડાતો10કિલો
ચરસનોજથ્થોપકડાયો
વડોદરા| વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં
અક્ષિતા લિમિટેડ નામની બચત યોજનાની કંપની
ખોલીને ઊંચાં વ્યાજ આપવાની લાલચ આપીને
રોકાણકારોને વિશ્વાસમાં લઇ અંદાજે 3 હજાર
રોકાણકારો સાથે 5.53 કરોડ ઉપરાંતની ઠગાઈ
કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઊંચાવ્યાજનીલાલચઆપીને
5.53કરોડથીવધુનીઠગાઇ
મોડાસા | નગરની એક ચિલ્ડ્રન હોસ્પીટલમાં
સારવાર માટે પેટીમાં મૂકાયેલ નવજાત શિશુ
કમ્પાઉન્ડરની ભૂલથી બદલાઇ જતાં પરિવારજનો
એ ભારે હોબાળો મચાવ્યો હતો અંતે જયારે
હોસ્પિટલ સત્તાવાળાઓને ભૂલ માલુમ પડતા જ
બાળક બદલી અપાતા જ મામલો થાળે પડયો હતો.
ચિલ્ડ્રન હોસ્પિ.માંશિશુબદલાઇ
જતાપરિવારજનોનોહોબાળો
સુરત|બોર્ડની પરીક્ષામાં 95 ટકા કેન્દ્રો પર કેમેરા
હોવાથી આ તમામ ફુટેજ જોવાની જવાબદારી
શાળાના આચાર્યોને સોંપાઇ છે. આ ફુટેજ જોવા
માટે 19 આચાર્યો છેલ્લા બે દિવસથી ગુલ્લી મારતા
ડીઇઓએ હાજર થવા માટે ફરમાન કર્યું છે. શિક્ષણ
વિભાગ દ્વારા ત્રણ સ્થળે નિરક્ષણ કાર્ય શરૂ કર્યું છે.
સુરતમાંબોર્ડપરીક્ષાનાંફૂટેજ
જોવામાટેઆચાર્યોનીગુલ્લી
દયાપર| દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક
માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વનો પ્રારંભ
ફાગણ વદ-અમાસ, 20/3 શુક્રવારે રાત્રે 9:30 કલાકે
ઘટસ્થાપનની ધાર્મિકવિધિ બાદ બીજા દિવસે તા.
21/3, ચૈત્ર સુદ એકમ, શનિવારથી ચૈત્રી નવરાત્રિ
ઉત્સવનો પ્રારંભ થશે. આ પ્રસંગે ગરબી યુવક મંડળ
દ્વારા ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા-
છંદ સાથે રાસગરબાની પણ રમઝટ જામે છે.
માતાનામઢમાં21માર્ચનાચૈત્રી
નવરાત્રિપર્વનોથશેપ્રારંભ
ભાસ્કરન્યૂઝ.વડોદરા
વડોદરાની જાણીતી કંપની જ્યોતિ
લી.ના હોસ્ટાઈલ ટેકઓવર માટે
મંગળવારે મળનાર
ઈજીએમ પૂર્વે જ
ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા
હતા. જ્યોતિ લી.ના શેરધારકો અને
કર્મચારીઅોએ એક્સપ્રેસ હોટલમાં
પ્રવેશી ભરત પટેલ વિરૂધ્ધ સુત્રોચાર
કરતાં ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા
હતા. જેના પગલે પોલીસ બંદોબસ્ત
વચ્ચે ભરત પટેલને બહાર લાવવાની
ફરજ પડી હતી. જ્યાં પણ શેરધારક
અને કર્મચારીના ટોળાએ ભરત
પટેલનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ
કરતાં માહોલ તંગ બન્યો હતો. જોકે
ભરત પટેલે ટોળાનો રોષ પારખી
બેઠક મુલત્વી રાખી હતી.
જ્યોતિલિ.નીઈજીએમપૂર્વેધાંધલધમાલનાદૃશ્યોસર્જાયા
જ્યોતિલિ.ટેકઓવરકરવાઆવેલા
ભરતપટેલનોઘેરાવોકરવામાંઆવ્યો
શેરહોલ્ડર્સનેગેરમાર્ગેદોરેછે
વડોદરા
^સવારે મિટીંગ મળી જ નથી.
જે મિટીંગ મળી નથી તે મુલત્વી
કેવી રીતે અને કોની હાજરીમાં
જાહેર કરાઈ. જેથી ફરી નોટીસ
આપી બોલાવવી પડે છે. ભરત
પટેલ શેરહોલ્ડર્સને આ અંગે અમને
ગેરમાર્ગે દોરી રહ્યા છે.
> પ્રફુલ્લ પટેલ, શેરહોલ્ડર
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન
પ્રશ્ન નંબર આઠ પૂછવાનો ક્રમ આવ્યો હતો,
પણ આ પ્રશ્ન પૂછનાર જામજોધપુરના
ભાજપના ધારાસભ્ય ચીમન સાપરીયા
ગેરહાજર રહેતા પ્રજા માટે સંવેદનશીલ
ગણાતા પ્રશ્નનો જવાબ મંત્રીએ આપવો
જોઇએ તેવી માગણી શકિતસિંહ ગોિહલે
કરી હતી. તેમની આવી લાગણી પ્રશ્નોત્તરી
દરમિયાન મંજૂર કરી શકાય નહીં અને આવી
માગણી સ્વીકારીનેે નવી કોઇ પ્રથાનો દાખલો
તેઓ બેસાડવા માગતા નથી
તેવો પ્રત્યુત્તર અધ્યક્ષે આપીને
માગણીનો અસ્વીકાર કર્યો હતો. આમછતાં
શકિતસિંહે પ્રજાના હિતમાં ભૂતકાળમાં આવી
માગણી સ્વીકારાઇ છે તેવી ધારદાર દલીલ
કરતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સામસામી
દલીલો અને ઊહાપોહ કરવા લાગ્યા હતા.
એક તબક્કે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ
વાઘેલાએ પણ દરમિયાનગીરી કરી હતી,
પણ અધ્યક્ષે માગણી સ્વીકારી ન હતી. આથી
ગૃહમાં વાતાવરણ કોલાહલભર્યુ થઇ ગયુ હતું.
ભાજપની મહિલા ધારાસભ્યોએ પણ હુરિયો
બોલાવ્યો હતો. છેવટે ગૃહમાં ઉગ્ર દલીલ
કરતા શકિતસિંહને બેસી જવાનો આગ્રહ
અધ્યક્ષે કરતા મામલો થાળે પડ્યો હતો.
પ્રશ્ન પૂછનારની ગેરહાજરીના
મુદ્દેભાજપ-કોંગ્રેસવચ્ચેતડાફડી
ઉગ્રદલીલો,શોરબકોરથીગૃહમાંઉશ્કેરાટ
શકિતસિંહઆપવિદ્વાન
છો:અધ્યક્ષનોકટાક્ષ
શકિતસિંહ માટે આજનો દિવસ
ઘેરાવાનો હતો. ભાજપના મહિલા
ધારાસભ્યો સહિતના સભ્યોએ
તેમને ટારગેટ કરીને તેમના પર
શાબ્દિક પ્રહાર કર્યા પછી અધ્યક્ષે
પણ શકિતસિંહ આપ વિદ્વાન છો તેવો
વારંવાર ઉલ્લેખ કરીને તેમને ગૃહમાં
શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
એક તબક્કે તો અધ્યક્ષે તેમને આપ
આજે ખૂબ વિવેક ચૂકી રહ્યા છો તેમ
કહેવું પડ્યુ હતું.
વીડિયોફૂટેજજોઇકાર્યવાહી
કરવામાગકરાઇ
અધ્યક્ષે રૂલિંગ આપ્યા પછી શકિતસિંહે
દલીલ કરતા કાયદા મંત્રી પ્રદીપસિંહે
અધ્યક્ષને કહ્યું હતું કે શકિતસિંહ
તમારી સામે લાંબા ટૂંકા હાથ, અનુમતી
ન આપવા છતા દલીલ કરવી આ બાબત
અસંસદીય છે અને અધ્યક્ષના આદેશનુું
અવમાન થાય છે. આથી વીડિયો ફૂટેજ
જોઇને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી
મંત્રીએ કરી હતી.
ગાંધીનગર
ક્રાઇમરિપોર્ટર.સુરત
સુરતના ઉઘોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાની
કતારગામ સ્થિત રામકૃષ્ણ એક્ષ્પોર્ટ નામની
ડાયમંડ કંપનીમાંથી સાગર
કપૂરીયા નામનો કર્મચારી
રૂ 3 કરોડના રફ હીરાનો માલ લઇને ભાગી
છૂટયો હતો. જે બનાવ અંગે કતારગામ પોલીસ
મથકમાં સાગર વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ
નોંધાય છે. બનાવમાં પોલીસની ત્રણ ટીમ
જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી રહી છે.
પોલીસની એક ટીમ રાજકોટ તથા અન્ય ટીમ
મુંબઇ તપાસ અર્થે જવા રવાના થઇ ગઇ છે.
તો બીજી તરફ પોલીસની એક ટીમે સુરત રેલ્વે
સ્ટેશનના, કંટ્રોલ રૂમના તથા ઘટના સ્થળની
આસપાસના તમામ સીસીટીવી કેમેરાના
ફુટેજની તપાસ હાથ ધરી હતી.
સુરતનીહીરાપેઢીમાં ચોરીનાકેસમાં
48કલાકબાદપણપોલીસઠેરનેઠેર
સુરત
કમઠાણ|બટાકાનાગગડતાભાવ-સંગ્રહનીઅપૂરતીસુવિધાથીકફોડીહાલત
કોલ્ડસ્ટોરેજવાળાઓએસિન્ડિકેટરચી
સ્ટોરેજનાભાડાંવધારતાંખેડૂતોબફાયાં
ભાસ્કરન્યૂઝ.મોડાસા-ડીસા
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લામાં
બટાકાનું વાવેતર ગત વર્ષની
તુલનામાં 25 ટકા વધ્યું છે. ત્યારે
બટાકાના ગગડતા જતા ભાવ અને
માલ સંગ્રહની અપૂરતી સગવડથી
બટાકાનો પાક રસ્તે રઝળતો થાય
તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતીવાડી
કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ,
આ વર્ષે 21400 હેકટર જમીનમાં
વાવેતર થયું છે. પરંતુ બટાકાના
ભાવ તળિયે જતાં ખેડૂતોને મસમોટુ
નુકસાન વેઠવાનો વારો આવી રહયો
છ. બંને જિલ્લામાં નજર કરો ત્યાં
ખેતરોને ખેતરોના સેઢાઓ ઉપર
બટાકાના ઢગ ખડકાઇ ગયા છે.
કિસાન સંઘ મોડાસા એકમના પ્રમુખ
જગદીશભાઇ પટેલના જણાવ્યા
મુજબ, બટાકાના પોષણક્ષમ ભાવ
મળતા નથી, કોઇ ખરીદનાર પણ
નથી. ખેડૂતોને પોતાનો માલ કોલ્ડ
સ્ટોરેજમાં સ્ટોર કરવો છે પરંતુ કોલ્ડ
સ્ટોરેજવાળા હાથ દેવા દેતા નથી.
સાબરકાંઠા-અરવલ્લીમાં29કોલ્ડસ્ટોરેજ:80ટકાસ્ટોરેજહાઉસફુલ
જિલ્લા બાગાયતી
વિભાગના નાયબ
નિયામક જે.કે.
પટેલના જણાવ્યા
મુજબ, સા.કાં.
જિલ્લામાં 11 અને
અરવલ્લી જિલ્લામાં
18 મળી કુલ 29
કોલ્ડ સ્ટોરેજ છે. આ
કોલ્ડ સ્ટોરેજોમાં 80
ટકા જથ્થો આજદિન
સુધીમાં સ્ટોર કરી
દેવાયો છે. જિલ્લામાં
નવા કોલ્ડ સ્ટોરેજ
માટે 20થી વધુ
અરજીઓ આવેલી
છે. ત્યારે આવતાં
વર્ષે સંગ્રહની
સમસ્યા નહીં નડે
તેવો આશાવાદ પ્રગટ
કર્યો હતો.
જાન્યુ.માંસ્ટોરેજકરવાજણાવ્યુંહતું
^અમોએ જાન્યુઆરી માસમાં જ પંથકના ખેડૂતોને માલ
સ્ટોરેજ કરવા બુકીંગ માટે જણાવ્યું હતું. ગગડેલા ભાવની
સ્થિતિ ચિંતાજનક છે. > અશ્વિન પટેલ, કોલ્ડ સ્ટોરેજના માલિક
સરકારેટેકાનાભાવજાહેરકરવાજોઇએ
^રૂા. 120 પ્રતિમણના ભાવે તો ખેડૂતોને મૂડી થાય છે. જેથી
સરકારે રૂા. 120 નો ઓછામાં ઓછો ટેકાનો ભાવ જાહેર
કરે તો જ ખેડૂતો બચી શકશે.’ > રમેશભાઇ માળી, રાણપુર
કૃષિધિરાણ-વીજબિલમાંમાફીઆપે
^સરકાર ટેકાના ભાવ જાહેર કરે, ચાલુ વર્ષના વિજ બિલ
-કૃષિ ધિરાણમાં માફી આપવી જોઇએ. અગાઉ અનેક
સરકારોએ માફી આપેલી છે.’ > વિરચંદજી ઠાકોર, ભોયણ
1વીઘેમાત્ર15
હજારનુંમળતર
કિરીટભાઇ પટેલ નામના ખેડૂતે જણાવ્યું અમે એક વીઘામાં 35 હજારના ખર્ચે બટાકા વાવ્યા
હતા. તૈયાર માલ વેચવા જતાં આજના ભાવે રૂ.15 હજાર મળતર મળે છે. બટાકા કાઢવાની
મજૂરી એક કટ્ટાનો રૂ.20 ભાવ મળી મજૂરી જ વધી જતાં બટાકા કાઢવાનું જ માંડી વાળ્યું છે.
નિકાસસબસિડીની
જાહેરાતકરાઈ
ગાંધીનગર : બટાકાના
તળિયે ગયેલા ભાવોને
નિયંત્રણમાં લેવા સરકાર
દ્વારા ટ્રાન્સપોર્ટ સહાય
આપવાનો નિર્ણય કર્યો
છે. એપીએમસીમાં
માન્ય વેપારીઓને રોડ
ટ્રાન્સપોર્ટથી બટાકાના
રાજ્ય બહાર નિકાસ માટે
પ્રતિ મેટ્રિકટન 750 રૂપિયા
અને રેલ મારફતે નિકાસ
ઉપર પ્રતિ મેટ્રિક ટન
મહત્તમ 1150 રૂપિયાની
ટ્રાન્સપોર્ટ સબસિડી
અપાશે તેવી કૃષિમંત્રી
બાબુ બોખીરિયાએ ગૃહમાં
જાહેરાત કરી હતી.
ખેડૂતોનેમસમોટુંનુકસાન
વેઠવાનોવારોઆવ્યો
પુરવઠાનું ગણિત ખેડૂતોખેતરમાંથીશાકકાઢીનેબજારમાંઠાલવતાહોવાથીહાલબજારમાંમાલનોરીતસરભરાવો
માવઠાનેકારણેશાકભાજીનાભાવગગડ્યાભૌમિકશુક્લ.અમદાવાદ
@bhaumik1990
દેશભરમાં પડેલા કમોસમી વરસાદને
કારણે શાકભાજીના ભાવમાં માતબર
ઘટાડો થઇ ગયો છેે. ખેતરોમાં અને
ગોડાઉનમાં પડી રહેલા શાકભાજી
બગડી જવાની બીકે ખેડૂતોએ
બજારમાં ઠાલવી દેતા સામાન્યરીતે
40થી 50 રૂપિયે કિલો વેચાતું
શાક હોલસેલ માર્કેટમાં 10 રૂપિયે
ખરીદવા પણ કોઇ તૈયાર નથી.
વેપારીઓને આ પરિસ્થિતિને કારણે
બખ્ખા થઇ ગયા છે અને ખેડૂતોની
સ્થિતિ કફોડી બની ગઇ છે.
પ્રાંતીજ તાલુકાથી કોબીજ અને
ફ્લાવર મધ્ય ગુજરાતમાંથી ગવાર,
ભીંડા, પરવળ અને મરચા વગેરે
આવે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિ જમાલપુરના જનરલ સેક્રેટરી
અહેમદભાઇ પટેલે કહ્યું કે કમોસમી
વરસાદ થતાં ખેડૂતોએ રાતાપાણીએ
રોવાનો વારો આવ્યો હતો. જે
શાકભાજી 50થી 60 રૂપિયે કિલો
પહેલા વેચાતા હતાં તેના ભાવ 50
ટકાથી વધુ ગગડી ગયા છે.
ડીસા અને તેની આસપાસના
વિસ્તારોમાં બટાકાનું 100 ટકા
કરતા પણ વધુ ઉત્પાદન થતું હોવાથી
તેના ભાવમાં પણ ખૂબ ઘટાડો થઇ
જતા બટાકા ખેડૂતોને રસ્તા પર ફેંકી
દેવા પડે છે. લાંબા ગાળે કમોસમી
વરસાદ થવાથી શાકભાજીના
આવકમાં લગભગ 30થી 40 ટકા
વધારો જોવા મળશે. શાકભાજી નવા
ઊગતા 90 દિવસ થાય માર્કેટમાં
ભાવ વધવાની સંભાવના રહેલી છે.
માવઠાથીઅનેકશાકનાભાવ50%થીવધુઘટ્યાછે
શાકભાજી મહિના પહેલાના હાલના ભાવ
ફુલાવર ~15 ~3થી 4
કોબિજ ~10થી 12 ~5થી 7
ગાજર ~12થી 18 ~7થી8
ઘોલર મરચા ~40થી 45 ~20થી 25
કેપ્સિકમ મરચા ~45થી 50 ~30થી 35
ટામેટાં ~20થી 25 ~8થી 13
ભીંડા ~55થી 60 ~30થી 35
ગવાર ~80થી 90 ~55થી 60
કારેલા ~40થી 50 ~25થી 30
(નોંધ : માવઠાના કારણે ભાવ ઘટ્યો છે, ભાવ કિ.ગ્રા.દીઠ છે)