Find all Gujarati News, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News, Gujarati News Paper in DivyaBhaskar.com. Find India news in Gujarati in DivyaBhaskar, No.1 Gujarati news paper & largest Gujarati daily
Find all Gujarati News, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines, Gujarati Breaking News, Daily Gujarati News, Gujarati News Paper in DivyaBhaskar.com. Find India news in Gujarati in DivyaBhaskar, No.1 Gujarati news paper & largest Gujarati daily
1. 4¾,રાજકોટ,શનિવાર,21માર્ચ,2015
વિધાનસભા ડાયરી
શક્તિસિંહ,મનેક્યાંખબરહતીકે
તમેબહારગયાપછીપાછાઆવશો
આરોગ્ય વિભાગની બજેટેડ માગણી પરની
ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ સરકારી
હોસ્પિટલોમાં ખાલી જગ્યા અંગે આકરા પ્રહારો કર્યા
હતા. મંત્રી નીતિન પટેલ જવાબ આપવા ઊભા થયા
ત્યારે તેમણે કહ્યું હતું કે, વિપક્ષમાં બેઠેલા શક્તિસિંહ
ગોહિલ અને અનિલ જોશિયારા જ્યારે આરોગ્ય મંત્રી
હતા તે સમયે કેવી સ્થિતિ હતી તેની માહિતી આપવા
હું આ બુક લાવ્યો છું. તે વખતે શક્તિસિંહ ગોહિલ
ગેરહાજર હતા અને નીતિન પટેલે બોલવાનું શરૂ કર્યું
ત્યારે જ શક્તિસિંહ ગોહિલે ગૃહમાં પ્રવેશ કર્યો હતો.
જેથી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગૃહમાં
ગેરહાજર હોય તે સભ્ય વિરુદ્ધ ટીકા-ટિપ્પણ કરી શકાય
નહીં તેવી સંસદીય પ્રણાલી છે. જેની સામે નીતિન પટેલે
કહ્યું હતું કે, આ તો મેં અગાઉથી તૈયારી કરી હતી. મને
ક્યાં ખબર હતી કે તમે બહાર જવાના છો અને મને એ
ય ખબર ન હતી કે ફરી પાછા પણ આવશો.
કરમશીભાઇ,48કલાકથયાપણહજુ
તમારા43પત્રોનથીમળ્યા
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખાણ
ખનિજ ખાતાના અધિકારીઓ સામે ગેરરીતિની
તપાસ અંગેનો પ્રશ્ન ચાલી રહ્યો હતો. તે દરમિયાન
કોંગ્રેસના સાણંદના ધારાસભ્ય કરમશીભાઇ પટેલે
પેટા પ્રશ્નમાં જણાવ્યું
હતું કે, ખાણ ખનિજ
ખાતામાં વ્યાપક
ગેરરીતિઓ ચાલી
રહી છે અને આ અંગે
મેં મંત્રીને 43 પત્રો
લખ્યા હતા પણ કોઇ
કાર્યવાહી થતી નથી.
જેનો જવાબ આપવા ઊભા થયેલા ખાણ ખનીજ મંત્રી
સૌરભ પટેલે વળતો પ્રહાર કર્યો હતો કે, કરમશીભાઇ
તમે બે દિવસ પહેલાં વાત કરી હતી ત્યારે મેં કહ્યું હતું
કે, તમે જે પત્રો લખ્યા છે તે મને મોકલાવો પણ 48
દિવસ થવા છતાં તમારા 43 પત્રો મળ્યા નથી.
સારીસારવારથીસ્વાઇનફ્લૂનાદર્દીઓ
સાજાથયાછેતેનુંઉદાહરણગૃહમાંજછે
વિધાનસભા સત્રનો પ્રારંભ સ્વાઇન ફ્લૂ મામલે
આક્ષેપો અને સૂત્રોચ્ચારોથી થયો હતો.
અધ્યક્ષથી લઇને ધારાસભ્ય અને રાજ્યકક્ષાના
આરોગ્યમંત્રી પણ સ્વાઇન ફ્લૂમાં સપડાતા દિવસો
સુધી આ મુદ્દો
ચર્ચાનો વિષય બન્યો
હતો. હવે સ્વાઇન
ફ્લૂના કેસો સાવ
ઘટી ગયા છે ત્યારે
આરોગ્ય વિભાગની
અંદાજપત્રીય
માગણી પરની
ચર્ચામાં કોંગ્રેસના સભ્યોએ સ્વાઇન ફ્લૂનો
મામલો ઉઠાવ્યો હતો. જેનો જવાબ આપતી વખતે
આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી
હોસ્પિટલોમાં અપાતી સારી સારવારથી રાજ્યમાં 5
હજારથી વધુ લોકો સાજા થઇને ઘરે ગયા છે. અને
તેનું ઉદાહરણ આ ગૃહમાં જ મોજૂદ છે. કોંગ્રેસના
બલવંતસિંહ રાજપૂતે સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામેલા
લોકોને વળતર આપવા માંગો છો કે કેમ તેવા
પ્રશ્નના જવાબમાં મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે,
ગુજરાતનો ઇતિહાસ તપાસ્યો છે. જેમાં રોગચાળાથી
મૃત્યુમાં વળતર આપવાની કોઇ જોગવાઇ નથી.
મુખ્યમંત્રીનેઆખુંગુજરાતવહાલુંછે,
તેમાંકોંગ્રેસપણઆવીગઇ
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મધ્યમવર્ગના
લોકોને ગંભીર રોગોમાં વિનામૂલ્યે સારવાર
આપવામાં આવક અને ઉંમરની મર્યાદા દૂર કરવાની
માગણી અગાઉ અનેકવાર કરી હતી. જ્યારે શુક્રવારે
વિધાનસભામાં આરોગ્ય વિભાગની અંદાજપત્રીય
માગણી પરની ચર્ચા દરમિયાન આરોગ્યમંત્રી નીતિન
પટેલે 21 વર્ષની વય
મર્યાદા દૂર કરવાની
જાહેરાત કરી હતી.
જેના સંદર્ભમાં
ગ્યાસુદ્દીન શેખે
જણાવ્યું હતું કે, આ
મામલે અગાઉ મેં
અનેકવાર સરકારને
રજૂઆત કરી હતી. છેલ્લે તો હું રાજ્યકક્ષાના
આરોગ્યમંત્રી શંકર ચૌધરીને મળ્યો હતો અને તેમને
કહ્યું હતું કે, તમે મુખ્યમંત્રીના વહાલા મંત્રી છો તો
તમારી વાત સાંભળશે જેથી લોકોની ભલાઇનું આટલું
કામ કરો. આખરે શંકર ચૌધરીનો પ્રયત્ન સફળ થયો
અને મુખ્યમંત્રીએ આ વાત સ્વીકારી. મને એ વાતનો
આનંદ છે કે મારા પ્રયત્નથી મધ્યમ વર્ગના લોકોને આ
લાભ થયો છે. આ પછી આરોગ્યના જવાબ વખતે
આરોગ્ય મંત્રી નિતિન પટેલે ગ્યાસુદ્દિન શેખને જવાબ
આપતા કહ્યું કે મુખ્યમંત્રીને એકલા શંકરભાઇ વહાલા
નથી, આખું ગુજરાત વહાલું છે, તેમાં કોંગ્રેસવાળા પણ
આવી ગયા.ાહેરાત થશે તેમ લાગે છે.
પ્રદીપસિંહેગૃહનુંઅપમાન,નીતિનપટેલેગૃહનેગેરમાર્ગેદોર્યંુ
વિ.સભામાંકેવાસવાલોપૂછવા?તેમ
કહેવુંતેગૃહનુંઅપમાન:શક્તિસિંહ
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
વિધાનસભામાં જામનગરના ધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકામાં છેલ્લા
બે વર્ષમાં બોકસાઇટની નિકાસથી રોયલ્ટીની
આવક પૂછતો પ્રશ્ન પૂછ્યો હતો તેમણે જવાબ
મેજ પર મૂકવાની માગણી કરી હતી. છતા
મંત્રીએ જવાબ લંબાવતા પ્રશ્નોત્તરીકાળ પૂરો
થઇ ગયો અને પેટા પ્રશ્નનો
જવાબ ધારાસભ્યને મળ્યો
નહીં. એથી પોઇન્ટ ઓફ ઓર્ડર કોંગ્રેસના
ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો
અને શક્તિસિંહની માગણી સામે રજૂઆત
કરતા કાયદામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ
શક્તિસિંહે ફલોર મેનેજમેન્ટ માટે એમના
સભ્યોની મીટિંગ કરીને કયાં પ્રકારના પ્રશ્નો
પૂછવા તેની સમજણ આપવી જોઇએ તેમ
કહ્યું હતું. શક્તિસિંહે અધ્યક્ષને પત્ર લખીને
એવી રજૂઆત કરી છે કે પ્રદીપસિંહની આ
વાત ગૃહના અપમાન બરાબર છે. આવી
જ રીતે આરોગ્ય મંત્રી નીતિન પટેલે પણ
સભ્યએ માહિતી વિગતવાર માંગી છે તેવી
ખોટી રજૂઆત કરી ગૃહને ગેરમાર્ગે દોર્યુ છે.
લોકશાહીમાટેઘાતક:વાઘેલા
વિરોધપક્ષની તાકીદની જાહેર અગત્યની
બાબતોને સ્વીકારવામાં આવતી ન હોવાથી
પ્રજાના પ્રશ્નો ચર્ચાતા નથી, જે વિરોધપક્ષના
હક પર તરાપ અને લોકશાહી માટે ઘાતક
છે તેવો આક્રોશ વિરોધપક્ષના નેતા
શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર
નવાપ્રમુખસાથે
જકોંગ્રેસમાંનવું
માળખુંરચાશે
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
નવનિયુક્ત પ્રમુખની વરણી પછી
પ્રથમ વખત આજે અમદાવાદના
કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ
પદાધિકારીઓ,
જિલ્લા પ્રમુખો,
વિવિધ સેલ-ડિપાર્ટમેન્ટના વડાઓની
એક બેઠક મળી હતી. આ બેઠકમાં
પ્રમુખ ભરતસિંહ સોંલકીએ કહ્યું
હતું કે પક્ષમાં કામ કરનાર દરેકને
તક આપવામાં આવશે અને મળતી
રહે છે. ગુજરાતની પ્રજા ભાજપ
સરકારથી હેરાન-પરેશાન થઇ ગઇ
છે ત્યારે આગામી દિવસોમાં પ્રજાની
લાગણીનો રાજ્ય સરકારમાં પડઘો
પાડવા માટે પ્રદેશ માળખામાં ફેરફાર
કરાશે તેમ તેમણે કહ્યું હતું.
ગાંધીનગર
દંપતીસામે~2.70
લાખનીઠગાઇનોઆરોપક્રાઇમરિપોર્ટર.રાજકોટ
ભોમેશ્વરમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા
મુર્તુજાભાઇ મસુદભાઇ ભારમલે ગઢડાના ગુંદાળા
ગામમાં રહેતા શૈલેષ ઘનશ્યામભાઇ ભીસરા અને
પ્રિયંકાબેન શૈલેષભાઇ ભીસરા સામે
2.70 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી
હતી. શૈલેષભાઇ અને પ્રિયંકાબેન રજપૂતપરામાં
પેરેમાઉન્ટ કોમ્પ્લેક્સમાં 207-208 નંબરની દુકાનમાં
ઓફિસ ધરાવે છે. બન્નેએ મુર્તુજાભાઇને ધંધામાં તગડો
નફો કમાવી દેવાની લાલચ આપીને રોકાણ કરવા
લલચાવ્યા હતા. દંપતીની વાતમાં વિશ્વાસ રાખીને
રૂ.2.70 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ નફો તો ઠીક
મૂળ રકમ પણ પરત આપવામાં ઠાગાઠૈયા શરૂ કર્યા
હતા, તેમજ દંપતીએ આપેલા ચેક પણ બેંકમાંથી પરત
ફરતા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ
સેનેટસભ્યનેખબરનથીડીનઅનેHODનીભૂમિકાશું?
સ્ક્રૂટિની મ.સ.યુનિ.માં30મીએમળનારીસેનેટનીબેઠકમાટેપુછાયેલા222પ્રશ્નોપૈકી કમિટીએમાત્ર72પ્રશ્નો માન્યરાખ્યા
એજ્યુકેશનરિપોર્ટર.વડોદરા
એમ.એસ.યુનિવર્સિટીમાં 30મીએ યોજાનાર
સેનેટની વાર્ષિક બેઠક માટે ત્રણ સેનેટ સભ્યોએ
222 પ્રશ્નો પૂછીને યુનિ. પાસેથી માહિતી
માંગવાના કરેલા પ્રયાસ સામે સ્ક્રૂટિની કમિટીએ
પૂછાયેલા 222 પ્રશ્નો પૈકી માત્ર
72 પ્રશ્નોને યુનિ.ના સ્ટેચ્યુટ
પ્રમાણે યોગ્ય ગણીને માન્ય રાખ્યા છે.
યુનિ.ના કાર્યકારી વીસી પ્રો. પરિમલ
વ્યાસની આગેવાનીમાં 30મીએ સેનેટની બેઠક
યોજાશે. સેનેટની આ બેઠક પૂર્વે જ કોંગ્રેસ શહેર
પ્રમુખ સહિત બે સેનેટ સભ્ય અને બુટાના પ્રમુખે
કુલ 222 પ્રશ્નો પૂછીને તમામના જવાબો માંગ્યા
હતા. ત્રણેય સેનેટ સભ્યોના પ્રશ્નોને યુનિ.ના
રજીસ્ટ્રારે સિન્ડીકેટ સભ્ય અને સ્ક્રૂટિની કમિટીના
કન્વીનર પ્રોફેસર મગન પરમારને મોકલી આપ્યા
હતા. જેમાં સ્ક્રૂટિની કમિટીએ યુનિ.ના સ્ટેચ્યુટ
14(9) અંતર્ગત વ્યકિતગત રીતે પૂછાયેલા અને
અસ્પષ્ટ હોય તેવા પ્રશ્નોને દૂર કરવાનો નિર્ણય
કરીને યુનિ.ના કાર્યકારી વીસી પ્રોફેસર પરિમલ
વ્યાસને મોકલી આપ્યાં હતા. જેમાં કાર્યકારીના
વીસીની સત્તાની રૂએ પ્રોફેસર પરિમલ વ્યાસે
પૂછાયેલા 222 પ્રશ્નો પૈકી 150 પ્રશ્નોને રદ
બાદલ કરી દીધા હતા અને માત્ર 72 જ પ્રશ્નોને જ
મંજૂર કર્યા હતા. રદ કરાયેલા પ્રશ્રોમાં ડીન અને
એચઓડીની ભૂમિકા શું? જેવા સવાલો હતા.
} સરકાર નિયુક્ત સભ્યોની એપોઇમેન્ટની લાયકાત શું?
} સ્ટુડન્ટ યુનિયનના ઇલેકશનનો હેતું શું?
} તત્કાલિન વીસી યોગેશસિંઘે શા માટે રાજીનામું આપ્યું?
} 5 વર્ષમાં કેટલા રાજકીય નેતાએ ડિગ્રી મેળવી?
} જયબાગમાં કેટલાક દુલર્ભ વૃક્ષો આવેલા છે?
યુનિ.સેનેટનીવાર્ષિકબેઠકમાટેકોણે-કેટલાપ્રશ્નોપૂછ્યા
150નરેન્દ્ર
રાવત
30કમલ
પંડયા
42ડૉ.આઇ.
આઇ.પંડયા
^સેનેટની બેઠક માટે ત્રણ સેનેટ સભ્યો દ્વારા પૂછાયેલા 222
પ્રશ્નોને સ્ટેચ્યુટ પ્રમાણે છે કે નહીં તેનું સ્ક્રૂટિની કમિટીએ
ચકાસણી કર્યા બાદ કાર્યકારી વીસી પરિમલ વ્યાસને મોકલી
આપ્યાં હતા. > ડૉ. અમિત ધોળકીયા, રજીસ્ટ્રાર.
સ્ટેચ્યુટ
પ્રમાણેચેકિંગ
સ્ક્રૂટિનીકમિટીએકેવાપ્રશ્નોઆવ્યા
વડોદરા
પોલિટૂન
પાક નુકસાનીનું
વળતર મેળવવાની
પ્રક્રિયા
બસ આ
નાનકડો
રસ્તો પસાર
કરી લો,
બીજા છેડે
વળતર
મળી જશે!
સ્ટેટ બ્રિફ
સુરતના સુંવાલી બીચ સહિત જિલ્લાના પાંચ
સ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનો
નિર્ણય જિલ્લા પ્રવાસન સમિતિએ આજે લીધો
હતો. સુરત જિલ્લામાં ગુજરાતના અન્ય શહેર-
જિલ્લા તેમજ અન્ય રાજ્યના લોકો પ્રવાસીઓ
તરીકે વધુ પ્રમાણમાં આવવા માટે આકર્ષાય તે માટે
પ્રવાસનધામો વિકસાવવા ઉપર ભાર મૂકાયો છે.
સુરત- સુંવાલીબીચસહિત5
સ્થળોનેપ્રવાસનધામતરીકેવિકસાવાશે
ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને પાવાગઢ તરફ આવતા
રસ્તાઓ ભકતોથી ઉભરાઇ રહ્યા છે. આ દરમિયાન
કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ
તથા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં
આવ્યુ છે. ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ પાવાગઢ
ખાતે પોલીસ બંદોબસ્તનું રિહર્સલ કરાવી રેન્જ
આઇજીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
હાલોલ-આજથીચૈત્રીનવરાત્રી:
પાવાગઢખાતેતંત્રસજ્જ
ત્રણ મિનિટના ગાળામાં જ ત્રણ કરોડના હીરા ચોરી
કરી પલાયન થઈ જનાર મુખ્ય આરોપી સાગર
કપૂરિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આજે તેને
કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. જ્યાં દસ દિવસના
રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. દ્વારા આરોપી
સાગરના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
હતા. સાગર એક વર્ષથી હીરા ચોરીનું કાવતરુ
ઘઢી રહ્યો હોવાનો ઘટસ્ફોટ રિમાન્ડના મુદ્દામાં
થયો હતો.
સુરત-સાગરનું1વર્ષથીહીરાચોરીનું
પ્લાનિંગહતંુ,6દિવસનારિમાન્ડ
બેંક ઓફિસર તરીકે ઓળખ અાપીને લોન અપાવી
દેવાની તેમજ બેંકમાં નોકરી અપાવી દેવાની લાલચ
આપીને અનેક વ્યક્તિ સાથે રૂ. 59.85 લાખની
ઠગાઇ કરવાના કેસમાં સહ આરોપી જયશીલ
કાંતિભાઇ પાંભર (ઉ.વ.21,રહે, ખોડિયારનગર,
કોઠારિયા રોડ)ની ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ધરપકડ
કરી હતી.
રાજકોટ - ~ 59.85 લાખની
ઠગાઇનાગુનામાંએકનીધરપકડ
સકંજો|કેસબાદટોમીપટેલઅનેકિરણમાલાનીમિલકતટાંચમાંલેવાશે
કિરણ-મિત્રનાઘરેથીકારતૂસ,25લાખમળ્યા
ભાસ્કરન્યુઝ,અમદાવાદ,વડોદરા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.)એ,
પર્દાફાશ કરેલા ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં
સંડોવાયેલ કિરણ ઠક્કર ઉર્ફે કિરણ માલાના
મિત્ર અને સાથી એવા ગોપાલના ઘરમાંથી
રૂ.25 લાખ રોકડા મળી આવ્યા છે. જ્યારે
કિરણ માલાના ઘરમાંથી 40 જીવતા
કારતૂસ મળી આવ્યા છે. કિરણ માલાનો
મિત્ર અને સાથી ગોપાલ મણિનગરમાં
ચરોતર સોસાયટીમાં રહે
છે. પોલીસને સાથે રાખીને
ઈ.ડી. સત્તાધીશોએ, કિરણ માલા અને તેના
મિત્ર ગોપાલના ઘરની તપાસ કરી હતી.
ઈ.ડી.ના સૂત્રોએ કહ્યું છે કે, સટ્ટા કાંડમાં
પકડાયેલા કિરણ અને ટોમી પટેલ છેલ્લાં
ત્રણ વર્ષથી ભાગીદારીમાં કામગીરી કરે
છે. ટોમી પટેલ અને કિરણ પટેલની ક્રિકેટ
સટ્ટા આઈ.પી.એલ. મેચ સટ્ટા કૌભાંડમાં
અગાઉ બે-ત્રણ વાર ધરપકડ કરાઈ હતી.
ટોમી પટેલ અને કિરણ માલા અમદાવાદમાં
અડાલજ વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી
માતાના મંદિરની પાછળ આવેલા એક
ફાર્મ હાઉસમાંથી પણ સટ્ટો ચલાવતા હતા.
આ બુકીઓએ કરેલા સટ્ટા કૌભાંડ અંગે
2013માં રમાયેલી આઈ.પી.એલની ક્રિકેટ
મેચ અને હાલની વર્તમાન વર્લ્ડ કપ ક્રિકેટ
મેચ અંગેનો રેકોર્ડ મેળવવામાં આવી રહ્યો
છે. ક્રિકેટ સટ્ટા બેટિંગની તપાસ ઈ.ડી.
ના દાયરામાં આવતી ન હોવાથી તે અંગે
પોલીસ એફ.આઈ.આર. દાખલ કરશે પછી
ઈ.ડી. વધુ તપાસ કરશે.
મોડીરાતેકાર્યવાહી |14અરોપીઓનેમોડીરાત્રેઅમદાવાદથીવડોદરાલઈજવાયા
ઈ.ડી.એ પર્દાફાશ
કરેલા ક્રિકેટ સટ્ટા
કૌભાંડમાં એ.સી.
બી.ના ડાયેરક્ટર
સમશેરસિંહ
અને ઈ.ડી.ના
અધિકારી વચ્ચે
શુક્રવારે લગભગ
ચાર કલાક મંત્રણા
યોજાઈ હતી. આ
બંન્ને અધિકારીઓ
વચ્ચેની મુલાકાતને
લીધે અનેક તર્ક-
વિતર્ક ઉઠી
રહ્યા છે.
અમદાવાદ
પોલીસનેસાથેરાખીનેકિરણ
માલાઅનેગોપાલનાઘરનીતપાસ
અમદાવાદ ખાતેની એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટની ઓફીસથી મોડી રાતે તમામ આરોપીઓને પોલીસ વાનમાં
વડોદરા લઈ જવામાં આવ્યા હતા. આ બધાને વડોદરાથી ઈડી વધુ તપાસ માટે અમદાવાદ લાવ્યું હતું.
ACBડિરેક્ટર-ઈ.ડી.અધિકારીવચ્ચેમંત્રણા
કારતૂસોઅંગે
ગુનોદાખલથશે
કિરણ માલાના ઘેરથી
40 જીવતા કારતૂસ
મળતાં અમદાવાદ
પોલીસ ગુનો નોંધશે.
જ્યારે વડોદરામાંથી સટ્ટા
રેકેટ ચલાવવા અંગે
વડોદરા પોલીસ ગુનો
દાખલ કરશે. સટ્ટા કાંડ
વડોદરામાં થયો હોવાથી
ઈ.ડી.એ, કિરણ માલા
અને ટોમી પટેલ સહિત
13 શખ્સો વડોદરા
પોલીસને સુપરત કર્યા
છે અને પોલીસ ગુનો
દાખલ કરે પછી ઈ.ડી.
વધુ તપાસ કરશે.
એરટિકિટોનો
હિસાબ
બુકીઓના લેપટોપમાં
ગુજરાતના ઘણા
સિનિયર પોલીસ
ઓફિસરોના સરકારી
અને અંગત કામે બહાર
જાય ત્યારે તેમને એર
ટિકિટ કઢાવી
આપી હોવાની હકિકત
બહાર આવી છે.
રાજપથમાંથીસટ્ટોપકડીશકાયતોટોમીનેકેમનહીં
પોલીસ વડા પી.સી.ઠાકુરના સ્ટે મોનિટરિંગ સેલના પીઆઈ ડી.એસ.ચૌહાણ
રાજપથ કલબમાં ચાલતું ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક પકડી શકે છે તો અડાલજના
ફાર્મ હાઉસમાં ચાલતું ટોમીનું આક્રિકેટ સટ્ટા કૌભાંડ કેમ પકડી શક્યું નહીં.
ટોમીશરૂઆતથીઅડાલજમાંસટ્ટોરમાડવાબેઠોહતો
ક્રિકેટ વર્લ્ડકપ-2015 શરૂ થયો ત્યારથી જ ટોમી વૈષ્ણોદેવી સર્કલ નજીક
અડાલજના એક ફાર્મ હાઉસમાં બેસીને સટ્ટો રમાડતો હતો. તે ફાર્મ હાઉસ
અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં એટલે કે ગાંધીનગર જિલ્લામાં આવે છે.
ટોમીસાથેઅમદાવાદપોલીસની સંડોવણીનથી
^વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી ટોમી એક પણ મેચ ઉપર સટ્ટો રમાડવા માટે
અમદાવાદમાં બેઠો નથી. ટોમી સાથે અમદાવાદના કોઈ પોલીસ કર્મચારીની
સંડોવણી નહીં હોવાનું છાતી ઠોકીને કહું છું. > શિવાનંદ ઝા, પોલીસ કમિ. અમદાવાદ
પ્રથમવર્ષેહાઇડ્રોલિકસરવે,ફીઝિબિલિટીસ્ટડી,નકશા-અંદાજોતૈયારથશે
દ્વારકાઅનેબેટદ્વારકાનેજોડવામાટેહવે
દરિયાપર350કરોડનાખર્ચેપુલબનાવાશેભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
પ્રસિદ્ધ તીર્થધામ બેટ દ્વારકાને દ્વારકાથી
જમીન માર્ગે જોડવા માટે યાત્રાળુઓની
વર્ષો જૂની માગણીને ધ્યાને લઇને રાજ્ય
સરકાર દ્વારા દરિયા પર પૂલ બનાવવાનું
આયોજન હાથ ધર્યું છે. જેના માટે
બજેટમાં 350 કરોડની જોગવાઇ કરાઇ
છે. પ્રથમ વર્ષે હાઇડ્રોલિક
સર્વે, ફીઝિબિલિટી સ્ટડી,
નકશા-અંદાજો વગેરે તૈયાર કરાયા બાદ
બાંધકામ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે,
યાત્રાધામ તરીકે બેટદ્વારકાનો વિકાસ થાય
તે માટે તેને દ્વારકા સાથે પૂલથી જોડવાના
જેટલું જ મહત્વ બેટદ્વારકાના માર્ગે થતી
કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ પર નિયંત્રણનું
પણ છે.
હાલ માત્ર જળમાર્ગે જ બેટદ્વારકા સાથે
સંપર્ક હોવાથી અને તેની આસપાસનો
જળવિસ્તાર પ્રમાણમાં ખાસ ઊંડો ન
હોવાથી યાંત્રિક બોટના માધ્યમે આ
વિસ્તાર પર દેખરેખ રાખવી અગવડભરી
બનેલી છે. આ સંજોગોમાં જો તેને પુલથી
જોડવામાં આવે તો સંપર્ક સરળ બને અને
સુરક્ષા તથા ગેરકાયદે પ્રવૃત્તિ અટકે તેમ
હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.
ગાંધીનગર
એજ્યુકેશનરિપોર્ટર.અમદાવાદ
શિક્ષણ બોર્ડ આયોજિત પરીક્ષામાં
શુક્રવારે ધોરણ 10નું અંગ્રેજીનું અને
12 સાયન્સનું બાયોલોજીનું પેપર
ફૂટી ગયું હોવાની વાતો વહેતી
થઈ હતી. અંગ્રેજી વિષયનું પેપર
વોટ્સ એપના માધ્યમથી ફૂટી ગયું
હોવાનું, જ્યારે બાયોલોજીનું પેપર
પણ પરીક્ષાના બે કલાક પહેલાં જ
મણિનગર વિસ્તારની એક સ્કૂલ
પાસેથી લીક થયું હોવાની ચર્ચા ચાલી
હતી. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા પેપલ
લીક થયું હોવાની ફરિયાદ ન મળી
હોવાનું જણાવાયું છે.
અંગ્રેજીવિષયનુંપેપરશરૂથવાના
એક કલાક પહેલાં વોટ્સ એપથી
વહેતું થયા બાદ ઘણા વાલીઓ-
વિદ્યાર્થીઓમાં ફરતું થયું હતુંં. ધોરણ
10 અંગ્રેજી વિષયનું પેપર બજારમાં
વહેતું થયું હોવાની વિગતો બહાર
આવતા સવારે 10થી બપોરે 1 કલાક
દરમિયાન પરીક્ષા કેન્દ્રો બહાર
ગરમાવો જોવા મળ્યો હતો. ઉપરાંત
આ પ્રશ્નપત્ર ~ ~10 હજારથી
15 હજારમાં વેચાયું હોવાની પણ
ચર્ચા હતી.
પરીક્ષાનાબેકલાકપહેલાંઅંગ્રેજી
અનેબાયોલોજીનુંપેપરફરતુંહતું
ધો.10અને12સાયન્સનાશુક્રવારનાંપેપરવોટ્સએપથીફૂટ્યાં
^ધોરણ 10નું અંગ્રેજી અને 12 સાયન્સનું બાયોલોજી વિષયનું પ્રશ્નપત્ર
પેપર ફૂટ્યું હોવાની, લીક થયું હોવાની ફરિયાદ અમને મળી નથી,
આવી કોઈ પણ પ્રકારની જાણકારી અમારી પાસે નથી. તેથી હાલમાં મને
આ બાબતમાં કોઈ પણ પ્રકારનું તથ્ય જણાતું નથી.પેપલ લીક થયું કે
પેપર ફૂટ્યું હોવા બાબતે રજૂઆત મળશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી
કરાશે. > આર. આર. વરસાણી, અધ્યક્ષ, શિક્ષણ બોર્ડ
મણિનગરની1સ્કૂલમાંથી
લીકથયુંહોવાનીચર્ચા
પેપરફૂટ્યુંનથી:શિક્ષણ
બોર્ડનીસ્પષ્ટતા
અમનેહજીફરિયાદમળીનથી,પેપરલીકથયુંનથી
કેબલઓપરેટરોને
આથોરિટીનીઆખરી
જપ્તીસામેમનાઇહુકમ
ભાસ્કરન્યૂઝ.રાજકોટ
રાજકોટમાં વર્ષોથી કેબલ ચલાવતા
ઓપરેટરો બુરહાની વિઝન, સિધ્ધિ
વિનાયક વિઝન, સાંઇ કૃપા,
બંસીધર વિઝન નામથી
ધંધો કરતા વેપારીઓને
મનોરંજન કરની આવક વસૂલવા
કલેક્ટરતંત્ર દ્વારા 10 વર્ષ પહેલાના
કનેક્શનોની ઉઘરાણી કાઢી આખરી
નોટિસ આપી જણાવ્યું હતું કે બાકી
રકમ નહીં ભરે તો મિલકત જપ્ત કરી
સીલ કરવામાં આવશે.નોટિસની
સામે પાંચેય વેપારીઓએ ગુજરાત
હાઇકોર્ટમાં કાર્યવાહી કરી રજૂઆત
કરતા પાંચેય વેપારીઓ સામે
કોઇપણ જાતની કાર્યવાહી કરવી
નહીં તેવો મનાઇહુકમ આપ્યો હતો.
રાજકોટ
રાયપરનાખેડૂતેવ્યાજનાવિષચક્રમાંજીવગુમાવ્યો
બેંકનામેનેજર,વ્યાજખોરોના
ત્રાસથીખેડૂતનોઆપઘાતક્રાઇમરિપોર્ટર.રાજકોટ
બાબરાના રાયપર ગામમાં રહેતા
અરજણભાઇ શંભુભાઇ
હીરપરાએ ઝેરી દવા
પીને આપઘાત કરી લીધો હતો.
અરજણભાઇ હીરપરા
(ઉ.વ.55)એ ઝેરી દવા પી લીધાની
જાણ થતાં પરિવારજનો તેમને
પ્રથમ જસદણ હોસ્પિટલમાં લઇ
ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે
અહીંની સરકારીહોસ્પિટલમાં લાવ્યા
હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં
રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો.
મૃતકના પુત્રે હોસ્પિટલ ચોકીમાં
ફરજ પરના પોલીસ અધિકારીને
જણાવ્યું હતુું કે, તેના પિતાએ
આપઘાત પહેલાં લખેલી સુસાઇડ
નોટ મળી છે. જેમાં તેમણે વ્યાજે
પૈસા લીધા હતા.
અશ્વિન અમરેલી (15
લાખ), કુરજી વાવડી (15 લાખ)
અને બેંક મેનેજર (4 લાખ)
ની વસૂલાત માટે કડક ઉઘરાણી
કરતા હતા. પુત્ર ભાવેશના
કહેવામુજબ પિતાએ અશ્વિન અને
કુરજી પાસેથી 9-9 લાખ તથા
મેનેજર પાસેથી 2 લાખ લીધા
હતા. થોડા સમય પહેલાં મેનેજર
અડધી રાતે આવીને કાર પડાવી
ગયા હતા. વ્યાજખોરોના ત્રાસથી
એક મહિના પહેલાં પુત્ર ભાવેશે પણ
આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ